67 વર્ષીય કોચાનિયન મેનન અને 66 વર્ષીય પીવી લક્ષ્મી અમ્મલ ત્રિશુરના રામવરમપુરમમાં સરકારી વૃદ્ધાશ્રમમાં રહે છે. તે બંને એકબીજાને ઘણા દાયકાઓથી ઓળખે છે. પરંતુ તમામ તપાસ અને સમસ્યાઓનો સામનો કર્યા બાદ હવે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે.
કેરળના સત્તાવાર વૃદ્ધાશ્રમમાં, જ્યાં બંને રહેતા હતા, ત્યાં જ આગામી 12 દિવસ પછી લગ્ન કરશે. 67 વર્ષીય વરરાજા અને 66 વર્ષની દુલ્હન. આ બને એ એક મહિના અગાઉ જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. કેરળના ત્રિસુરમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ વૃદ્ધાશ્રમમાં લગ્ન નક્કી થયા હોય. અહીં રહેતા બધા જ લોકો લગ્નની તૈયારી કરી રહ્યા છે.
કોચાનિયન મેનન, લક્ષ્મીના પતિના વ્યવસાયમાં સહયોગી હતા. લક્ષ્મી વૃદ્ધાશ્રમમાં આવતા પહેલા કોચાનિયનને ઓળખતી હતી. તે તેના પતિ ક્રિશાઐયરના કેટરિંગ બિઝનેસમાં સહયોગી હતો. લક્ષ્મીએ કહ્યું, ‘મારા પતિનું 21 વર્ષ પહેલાં અવસાન થયું હતું. હું થોડા વર્ષો સુધી ઘરે એકલી રહી હતી. જ્યારે પણ મને કોઈની જરૂર પડે ત્યારે કોચાનિયન મેનન મદદ માટે આવતા. આ પછી મેં મારું ઘર વેચી દીધું. હું ઘણા વર્ષો સુધી કોઈ સગાના ઘરે રાઈ હતી. કોચાનિયન મેનન અહીં તેને મળવા આવતા. તેણે કહ્યું, થોડા વર્ષો પહેલા કોચાનિયન ક્યાંક ગયો હતો અને પાછો ફર્યો નહીં. 2 વર્ષ પહેલા હું આ વૃદ્ધાશ્રમમાં આવી છુ. બે મહિના પહેલા હું ફરીથી આ વૃદ્ધાશ્રમમાં તેની સાથે મળી હતી.
કોચાનિયન મેનન મને ક્યારેય એકલા છોડતા નથી:
લક્ષ્મીને પહેલા ખાતરી નહોતી કે તેઓ પ્રેમમાં હતા. પરંતુ તે કહે છે કે તે બંને એક બીજાને પસંદ કરે છે. લક્ષ્મીએ કહ્યું, તેમને અહીં જોઈને મને આશ્ચર્ય થયું. હું તે દિવસોમાં એકલી હતી. જ્યારે હું તેની સાથે મળી ત્યારે મને સારું લાગવાનું શરૂ થયું. તેઓ મને ક્યારેય એકલા છોડતા નથી, તેઓ મને ચાહે છે. તેથી જ અમે બાકીનું જીવન પતિ-પત્નીની જેમ વિતાવવા માંગીએ છીએ.
કોચાનિયન થોડા વર્ષો પહેલા તેના બાળકો સાથે રહેતો હતો. આ પછી તેણે વાયનાડમાં વૃદ્ધાશ્રમમાં રહેવાનું શરૂ કર્યું. જ્યાંથી તેની મોકલવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.