Rajkot/ જો જો હવે ચૂકાય નહીં, રૂડાના  ૬૮૮ આવાસ માટે ૧૬૦૫ ફોર્મ ભરાઇને પરત,તારીખ ૨૨ મી સુધી લંબાવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન ૧ BHK, ૨ BHK તથા ૩ BHK ના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે.

Gujarat
1

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણાધિન ૧ BHK, ૨ BHK તથા ૩ BHK ના વિવિધ કેટેગરીના ખાલી ૬૮૮ આવાસો અંગે હાલ ફોર્મ વિતરણ પ્રગતિમાં છે. જેની સાપેક્ષમાં EWS1 ના ૨૩૭, EWS2 ના ૮૦૬ LIGના ૫૪૦ તથા MIG ના ૨૨ ફોર્મ ભરાઈ ને પરત આવેલ આમ કુલ ૬૮૮ આવાસની સામે૧૬૦૫ અરજીઓ તારીખ ૧૫.૦૧.૨૦૨૧ સુધી પરત આવી ગયેલ છે. જેમાં ૧૦૪ અરજીઓ ઓનલાઈન સીસ્ટમ અનુસાર આવેલ હતી. હજુ એક દિવસના ફોર્મ આવવાના બાકી છે. આ સમયગાળા દરમિયાન રૂડા કચેરીને આવેલ રજુઆત અનુસાર હાલ મહાનગરપાલિકાના ફોર્મ પણ ભરવાના ચાલુ હોઈ મામલતદારના આવકના દાખલામાં વેઈટીંગ ને કારણે લોકોમાં ફોર્મ ભરવા અંગે મુંજવણ ઉભી થયેલ છે.

Rajkot Urban Development Authority (RUDA) – Gujarat India

amitshah / PM મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈમાં ભારતે મહત્વપૂર્ણ …

આ બાબતને ધ્યાને લેતા રૂડા કચેરી દ્વારાEWS૧, EWS૨ તથા LIG કેટેગરીના ફોર્મ ભરી ને ડીપોઝીટ સાથે પરત કરવાની કામગીરી માટે ૨૨.૦૧.૨૦૨૧ સુધી તારીખ લંબાવવા અંતે નિર્ણય કરેલ છે. આ સમયગાળા દરમિયાન નવા ફોર્મ મળી શકશે નહિ ફક્ત ફોર્મ ભરી ને પરત આપવા અંગે સમય વધારેલ છે. તો અરજદાર આખરી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરે એવો અનુરોધ છે. તથા જે ઈચ્છુક અરજદાર ૧૬.૦૧.૨૦૨૧ સુધી ફોર્મ જમા કરાવી શકેલ નથી તે અરજદાર દ્વારા વહેલી તકે ફોર્મ જમા કરાવવા.

Rajkot Urban Development Authority (RUDA) – Gujarat India

Gandhinagar / ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ધરણા, અમિત ચાવડા અને પરેશ ધાના…

 MIG કેટેગરી માટે ફોર્મ મેળવવા તથા ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત આપવાની તારીખ ૨૨.૦૧.૨૦૨૧ સુધી લંબાવેલ લંબાવવા નિર્ણય કરેલ છે. ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે ICICI બેંકનો સંપર્ક કરવાનો રહેશે (જેમાં EWS૧ EWS૨ તથા LIG કેટેગરીના ફોર્મ મળશે નહિ).વધારેલ તારીખ ૨૨.૦૧.૨૦૨૧ દરમિયાન જે અરજદાર ને ફોર્મ લેવાનું બાકી રહેલ છે અને ફોર્મ ભરવા ઈચ્છુક છે તેવા અરજદાર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જે અંતે રૂડા કચેરીની વેબસાઇટ www.rajkotuda.com, www.rajkotuda.co.inપરથી તા. ૨૨.૦૧.૨૦૨૧ (૨૩.૫૯ કલાક) સુધી ફોર્મ ભરી શકાશે. લાભાર્થીને કોઈ પણ પ્રકારની મુંજવણ હોય તે અંગે રૂડા કચેરીના ફોન નં ૦૨૮૧૨૪૪૦૮૧૦ / ૯૯૦૯૯૯૨૬૧૨ પર સંપર્ક કરી શકાશે.

Corona Vaccine / હું કઈ રીતે જાણી શકું કે હું રસીકરણ માટે પાત્ર છું કે નહીં ?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…