Prophet row/ મુંબઇ પોલીસ સમક્ષ નૂપુર શર્મા હાજર ન થતા,હવે સોમવારે તેમના વિરુદ્વ કરવામાં આવશએ કાર્યવાહી

25 જૂને  રઝા એકેડમીની ફરિયાદ પર પાયધુની પોલીસે નુપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

Top Stories India
6 37 મુંબઇ પોલીસ સમક્ષ નૂપુર શર્મા હાજર ન થતા,હવે સોમવારે તેમના વિરુદ્વ કરવામાં આવશએ કાર્યવાહી

સસ્પેન્ડેડ બીજેપી નેતા નુપુર શર્મા પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે નોંધાયેલા કેસના સંબંધમાં તેમનું નિવેદન નોંધવા શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા.આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે, 28 મેના રોજ પાયધુની પોલીસ સ્ટેશનમાં શર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી અને પોલીસે તેમને ઈમેલ દ્વારા સમન્સ મોકલ્યા હતા. આ સિવાય એક ટીમ તેને (નુપુર શર્મા)ને તેની કોપી આપવા દિલ્હી પણ ગઈ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “તે પોતાનું નિવેદન નોંધવા આવી ન હોવાથી, અમે સોમવારે આગળની કાર્યવાહી નક્કી કરીશું.” 25 જૂને  રઝા એકેડમીની ફરિયાદ પર પાયધુની પોલીસે નુપુર શર્મા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

પૂર્વ બીજેપી નેતા નૂપુર શર્માને 25 જૂને પાયધુની પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદુદ્વન નોંધવા માટે કહેવામાં આવ્યું હતું. નૂપુર શર્માના પયગંબર મોહમ્મદને લઈને વિવાદિત નિવેદન બાદ દેશના ઘણા શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. દિલ્હી પોલીસ પર મુંબઈ પોલીસનો આરોપ તાજેતરમાં જ મુંબઈ પોલીસના એક અધિકારીએ દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે રાજધાનીની પોલીસે નૂપુર શર્માને શોધવામાં અપેક્ષા મુજબ મદદ કરી નથી. જેના કારણે મુંબઈ પોલીસે નુપુર શર્માને ઈમેલ દ્વારા સમન્સ મોકલવું પડ્યું હતું.