હરિયાણા/ બહાદુરગઢમાં રોડ અકસ્માતમાં 9નાં મોત થયા, કારના અનેક ટુકડા થયેલા જોવા મળ્યા

અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો

India
Untitled 418 બહાદુરગઢમાં રોડ અકસ્માતમાં 9નાં મોત થયા, કારના અનેક ટુકડા થયેલા જોવા મળ્યા

હરિયાણાના ઝજ્જર જિલ્લાના બહાદુરગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ ગંભીર અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત બહાદુરગઢના બદલી અને ફારૂખનગર વચ્ચે કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે હાઇવે પર થયો હતો.

આ પણ વાંચો :મુંબઈમાં આગ / મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડીંગના 19માં માળે આગ

પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માત વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક અર્ટિગા કાર રાજસ્થાનથી ઉત્તર પ્રદેશ જઈ રહી હતી. કારમાં 11 લોકો હતા. કાર ચાલક પેશાબ કરવા માટે ફારૂખનગરમાં વચ્ચે પાર્ક કરેલી ટ્રક પાછળ કાર રોકી હતી. આ દરમિયાન પાછળથી આવી રહેલી એક ટ્રકે કારને ટક્કર મારી હતી, જેમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:Exclusive /  મહેસુલ મંત્રીની માનવતા મહેકી ઉઠીઃ કર્મચારીનું તૂંટતુ ઘર બચાવી લીધુ

અકસ્માત સર્જ્યા બાદ આરોપી ટ્રક ચાલક ઘટનાસ્થળ પરથી ભાગી ગયો હતો. એક પછી એક બે અકસ્માતમાં 9 લોકોના મોતની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો ;હિન્દુ પર હુમલો / સંયુક્ત રાષ્ટ્રમાં બાંગ્લાદેશે હિન્દુઓ પર થયેલા હુમલાની નિંદા કરી,દરેક પીડિતને ન્યાય મળશે