Not Set/ ઝારખંડમાં નરાધમોએ ભાજપના નેતાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બળાત્કાર કર્યા પછી આંખો પણ કાઢી

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ઝારખંડમાંથી હેવાનિયતની તમામ હદો પાર કરતી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે,

Top Stories India
A 144 ઝારખંડમાં નરાધમોએ ભાજપના નેતાની દીકરી સાથે આચર્યું દુષ્કર્મ, બળાત્કાર કર્યા પછી આંખો પણ કાઢી

દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ઝારખંડમાંથી હેવાનિયતની તમામ હદો પાર કરતી એક દુષ્કર્મની ઘટના સામે આવી છે,જેના લઈને બાળકીઓના સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા છે.

હકીકતમાં, ઝારખંડ જીલ્લાના પલામૂ જિલ્લામાંથી આ દુષ્કર્મની ઘટના સામે આવી છે, જ્યાં નરાધમોએ તમામ હદો પાર કરતા ભાજપના સ્થાનિક નેતાની 16 વર્ષીય દીકરીની નિર્મમ હત્યા કરી દીધી છે.

આ પણ વાંચો :મ્યાંનમારમાં સેનાનું વિમાન થયું ક્રેશ, 12 લોકોના મોત, મૃતકોમાં સેનાના અધિકારીઓ પણ શામેલ

મળતી માહિતી મુજબ, આ ઘટના પલામુ જીલ્લાની છે, જ્યાં ગત 7 જૂનના રોજ સવારે પીડિતા ઘરની બહાર ગઈ હતી અને પાછી ન ફરતા પરિવારજનોએ પોતાની રીતે શોધખોળ આરંભી હતી, પરંતુ ત્યારબાદ ત્યારબાદ કોઈ ભાળ ન મળતા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી અને આખરે પોલીસ પીડિતાને શોધવા પ્રયત્ન કરી રહી હતી તે સમયે બુધવારે તેમને લાલીમાટી જંગલમાં તેનો મૃતદેહ ઝાડ સાથે લટકતો મળી આવ્યો હતો.

આ પણ વાંચો :જિતિન પ્રસાદનો ભગવો ધારણ કરવા પર કોંગ્રેસ – ભાજપના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ, કપિલ સિબ્બલે કહ્યું, શું મળશે પ્રસાદ ??

જ્યાં નરાધમોએ ભાજપની દીકરી સાથે પ્રથમ સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં તેની આંખો કાઢી લેવામાં આવી હતી. આ ઉપરાંત નરાધમોએ વધુ એક હદ પાર કરતા તેના મૃતદેહને ઝાડ સાથે લટકાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આ કેસમાં પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :મુંબઈમાં ભારે વરસાદના કારણે મલાડમાં 4 માળની ઈમારત ધરાશાયી, 11 લોકોના મોત