મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. મળતી માહિતી મુજબ, રવિવારે મધ્યપ્રદેશના જબલપુર, ઉમરિયા અને પચમઢીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 11 વાગ્યે આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પચમઢીથી 218 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 23 કિમીની અંદર હતું.
મધ્યપ્રદેશના જબલપુરના કુંડમ, પનાગર, ચંદિયા, શાહપુરા અને ઉમરિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હાલમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી નથી. આપને જણાવી દઈએ કે, આ પહેલા ગ્વાલિયરમાં ભૂકંપ આવ્યો હતો અને તે પહેલા મધ્યપ્રદેશના ઈન્દોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake of magnitude 3.6 occurred at 1100 hours 218km east-northeast of Pachmarhi, Madhya Pradesh: National Center for Seismology
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 2, 2023
ભૂકંપના આંચકાથી લોકો ગભરાઈને ઘરોની બહાર આવી ગયા હતા. લોકોએ તેમના સ્વજનોને પણ ફોન પર ભૂકંપની જાણ કરી અને એકબીજાની સ્થિતિ વિશે પૂછપરછ કરી. લોકોએ જણાવ્યું કે, ‘સવારે 11 વાગે થોડી સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પરંતુ લોકો ઘરની બહાર નીકળ્યા કે તરત જ આંચકા બંધ થઈ ગયા.’
આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
