Surendranagar News/ થાનગઢમાં ખનીજ માફિયાઓ અધિકારીઓને ધમકાવીને જપ્ત કરેલા 3 ટ્રેકટર લઈ ગયા

ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદગીરી કરતા જોવા મળ્યા હતા

Top Stories Gujarat

Surendranagar News ; સુરેન્દ્રનગરના થાનગઢમાં છેલ્લા 1 મહિનાથી ખનીજ ચોરીની ફરિયાદ ઉઠી રહી હતી. જેને પગલે બાતમીને આધારે ખાણ ખનીજ વિભાગે થાનગઢના વેલાડા ગામે રેડ પાડી હતી. જો કે ખનીજ માફીયાઓને જાણે તંત્રનો કોઇ ડર જ નથી. આ ઘટનામાં ખનીજ માફિયાઓ રેડ દરમિયાન દાદગીરી કરતા જોવા મળ્યા હતા.સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકાના વેલાડા ગામની સીમમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં 10થી વધારે ચરખી અને 4 થી વધારે ટ્રેક્ટર જપ્ત કરવામાં આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આ વિસ્તારમાં 1 માસથી ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી.

જેના આધારે વિભાગે અધિકારીઓ સાથે દરોડા પાડ્યા હતા.જોકે સમગ્ર ઘટનામાં રેડ દરમિયાન ભૂમાફિયાઓની દાદાગીરી જોવા મળી હતી. ખાણ ખનીજ વિભાગની રેડમાં દર વખતે આ ઘટના સામે આવતી હોય છે. જેમાં ભૂમાફિયાઓ દ્વારા અધિકારીઓને ધમકાવીને વાહનો છોડાવી લેવામાં આવતા હોય છે.ત્યારે આ ઘટનામાં પણ વેલાડાની સીમમાંથી અધિકારીઓને ધમકાવીને ભૂમાફિયાઓ 3 ટ્રેક્ટર લઈ ગયા હતા. ત્યારે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો, CCTVમાં કેદ થઈ ઘટના

આ પણ વાંચો:બનાસકાંઠામાં વિદ્યાર્થીને ઢોર માર મારતા તાત્કાલિક પગલા ભરવા કરાઈ માગ

આ પણ વાંચો:ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે કાર્યવાહી, 15 સિનિયર વિદ્યાર્થીને રેગિંગ મામલે કરાયા સસ્પેન્ડ