Gandhinagar News: ગાંધીનગરમાં આજે એકસાથે 27 સ્થળો પર આવકવેરા (Income Tax)અધિકારીઓના દરોડા પડ્યા છે. દરોડાના પગલે બેનામી વ્યવહાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અત્યારે Psy ગ્રૂપ આવકવેરા વિભાગના નિશાના પર છે. તેમજ કંપનીના અન્ય ભાગીદારોને ત્યાં પણ ITની રેડ પડી છે. સર્ચ ઓપરેશનથી મોટાપાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે.
રાજધાની ગાંધીનગરમાં સેક્ટર 8 અને 21 સહિત 27 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરા વિભાગના 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ગાંધીનગરના Psy ગ્રૂપના ભાગીદારો બંકીમ જોશી, નિલય દેસાઈ, વિક્રાંત પુરોહિત સહિતના ત્યાં પણ IT વિભાગના અધિકારીઓ ત્રાટક્યાં છે. અને તપાસની કાર્યવાહી થઈ રહી છે. આવકવેરા વિભાગને ઘણા બેનામી વ્યવહારો મળી આવશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
આ પણ વાંચો:રામલલ્લાનાં દર્શન કરવા ઈચ્છતાં શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર…
આ પણ વાંચો:Aamir Khan/આમિર ખાને નથી જોઈ સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મો, દિગ્દર્શકની કમેન્ટનો આપ્યો જવાબ