રાજ્યમાં અનેક વિસ્તરોમાં હાલ ભારે વરસાદ નોંધવામા આવી રહ્યો છે. તો રાજ્યમાં દક્ષિણ વિસ્તારમાં વરસાદનાં પગલે બીજા રાજ્યોમાંથી ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકાથી આવતા માલ પર પણ અશરો જોવામાં આવી રહી છે. ભારે વરસાદથી શાકભાજીના ભાવમાં ભડકો થયો છે, ભાવ વધતાની સાાથે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગયું છે.
શાકભાજીના વધેલા ભાવ પર નજર કરીએ તો કોથમીરનો ભાવ કિલોએ રૂ.400ને પાર પહોંચી ગયો છે. જ્યારે આદુનો જુનો ભાવ 45 રૂપિયા હતો. અને હવે 250 રૂપિયા થયો છે. તો ટામેટા પહેલા 20 રૂપિયા કિલો મળતા હતા. જ્યારે હવે 60 રૂપિયા કિલો મળે છે. તેમજ મરચા પણ પહેલા 20 કિલો મળતા હતા. અને હવે 50 રૂપિયા કિલો મળી રહ્યા છે. મેથીની વાત કરીએ તો મેથી પહેલા 30 રૂપિયાની મળતી હતી. અને 240 રૂપિયાની મળે છે. શાકભાજીના નવા ભાવથી ગૃહિણીઓનાં બજેટ પર માઠી અસર જોવા મળી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.