Not Set/ PM મોદીએ શી જિનપિંગને કહ્યું- ચેન્નઇ વાર્તાલાભથી ભારત-ચીન સંબંધોનો નવો અધ્યાય શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બીજી અનૌપચારિક સમિટ દરમિયાન કહ્યું હતું કે તેમની વચ્ચેની વાતચીત ભારત-ચીન સહયોગને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે ભારત-ચીન છેલ્લા 2000 વર્ષથી વિશ્વની આર્થિક શક્તિ છે અને અમે ફરીથી વિશ્વની આર્થિક શક્તિ બનીશું. ભારત અને ચીન વચ્ચે નવું અધ્યાય શરૂ કરવાની આશામાં પીએમ મોદીએ ચેન્નઈને બંને […]

Top Stories India World

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બીજી અનૌપચારિક સમિટ દરમિયાન કહ્યું હતું કે તેમની વચ્ચેની વાતચીત ભારત-ચીન સહયોગને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે ભારત-ચીન છેલ્લા 2000 વર્ષથી વિશ્વની આર્થિક શક્તિ છે અને અમે ફરીથી વિશ્વની આર્થિક શક્તિ બનીશું. ભારત અને ચીન વચ્ચે નવું અધ્યાય શરૂ કરવાની આશામાં પીએમ મોદીએ ચેન્નઈને બંને દેશોના સંબંધોના સાક્ષી ગણાવ્યા હતા.

બીજી તરફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમની ભારત મુલાકાતને યાદગાર તરીકે વર્ણવતા કહ્યું કે અહીં મળેલા સ્વાગત અને સન્માનથી હું અભિભૂત થઈ ગયો છું. તેમણે ભારત સાથે પણ આગળ વાતચીત ચાલુ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ અનૌપચારિક વાતચીતથી સંબંધોને વેગ મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.