Not Set/ દિલ્લીના પૂર્વ સીએમ મદનલાલ ખુરાનાનું ૮૨ વર્ષની વયે નિધન

દિલ્લી દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાએ શનિવારે અંતિમ શ્વાસ લીધા છે. શનિવારે કીર્તિ નગર સ્થિત આવેલા તેમના ઘરે તેમનું મૃત્યુ નીપજ્યું છે. વર્ષ ૧૯૯૩થી લઈને વર્ષ ૧૯૯૬ સુધી તેઓ દિલ્લીના મુખ્યમંત્રી પદ પર રહ્યા  હતા. એટલું જ નહી પરંતુ વર્ષ ૨૦૦૪માં તેઓને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ […]

Top Stories India Trending Politics

દિલ્લી

દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાએ શનિવારે અંતિમ શ્વાસ લીધા છે. શનિવારે કીર્તિ નગર સ્થિત આવેલા તેમના ઘરે તેમનું મૃત્યુ નીપજ્યું છે.

વર્ષ ૧૯૯૩થી લઈને વર્ષ ૧૯૯૬ સુધી તેઓ દિલ્લીના મુખ્યમંત્રી પદ પર રહ્યા  હતા. એટલું જ નહી પરંતુ વર્ષ ૨૦૦૪માં તેઓને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૧માં તેમને બ્રેન હેમરેજ થયું હતું અને બસ તે સમયથી તેઓ બીમાર રહેતા હતા.  શનિવારે સવારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ હતી ત્યરબાદ રાત સુધીમાં વધારે તબિયત લથડતા તેમનું મૃત્યુ થયું હતું.

પૂર્વ સીએમના પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રી છે. ગયા વર્ષે તેમના દીકરાનું નિધન થઇ ગયું હતું જેનો તેમને ઊંડો આઘાત લાગ્યો હતો.

Image result for madan lal khurana

મોડી રાત્રે તેમના નિધનને લઈને દરેક મોટા રાજનેતાનું તેમના ઘરે આવા જવાનું ચાલુ થઇ ગયું છે.

પ્રધાનમંત્રી વડાપ્રધાન સહિત અનેક નેતાએ ટ્વીટ કરીને તેમની આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરી છે.