પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનો વ્રત કરનારી એક મહિલા સાથે ચોંકાવનારી ઘટના બની છે. કરવા ચોથ પ્રસંગે પતિ ભેટ ન લાવતાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. ઝઘડાથી ગુસ્સે થતાં પતિએ પત્નીનો ઉપવાસ ન ખોલ્યો પરંતુ કુહાડીથી હત્યા કરી હતી. ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાની છે. હત્યા બાદ આરોપી પતિ ક્યાંય ભાગ્યો નહીં, પરંતુ તે પોતાના ઘરની બહાર બેઠો હતો. આરોપીની ઓળખ તુલસીરામ પ્રજાપતિ તરીકે થઈ છે. જ્યારે મૃતકનું નામ પ્રેમાદેવિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પોલીસ બાતમી પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. તેમજ હત્યામાં વપરાયેલી કુહાડી પણ મળી આવી છે. પાડોશમાં એવી ચર્ચા છે કે ભેટ ન લાવવાને લઈને વિવાદ થયો છે. જ્યારે મૃતકના સંબંધીઓ કહે છે કે દહેજની હત્યા કરવામાં આવી છે. મામલો હમીરપુરના બિવાર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરી ગામનો છે.
મળતી માહિતી મુજબ પ્રેમાદેવી સાંજે સાત વાગ્યે પૂજા કરવા ઘરેથી નીકળી રહી હતી. ત્યારબાદ તેણીને પતિ સાથે ગિફ્ટ ન લાવવા અંગે વિવાદ થયો હતો. આ ઝઘડામાં તુલસીરામ કાબૂમાંથી બહાર ગયો અને કુહાડી ઉપાડીને તેની પત્ની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.