Not Set/ પાકિસ્તાન સાથે સરહદ પાર વેપાર પર ભારતે રોક લગાવી, કાલથી પ્રતિબંધ લાગુ

ગૃહ મંત્રાલયે જમ્મુ અને કશ્મીરમાં સીમા પાર થતા વેપાર પર 19 એપ્રિલથી પ્રતિબંધ મુકવાનો આદેશ જારી કર્યો છે. સરકારે આ પગલું એ રિપોર્ટ બાદ ઉઠાવ્યું જેમાં બતાવાયું હતું કે પાકિસ્તાનમાં કેટલાક લોકો નિયંત્રણ રેખાના રસ્તે થનારા વેપારનો દૂરુપયોગ કરે છે અને તેના મારફતે ગેરકાયદેસર હથિયાર, માદક પદાર્થો અને નકલી ચલણ આદી મોકલી રહ્યા છે. India […]

Top Stories India

ગૃહ મંત્રાલયે જમ્મુ અને કશ્મીરમાં સીમા પાર થતા વેપાર પર 19 એપ્રિલથી પ્રતિબંધ મુકવાનો આદેશ જારી કર્યો છે. સરકારે આ પગલું એ રિપોર્ટ બાદ ઉઠાવ્યું જેમાં બતાવાયું હતું કે પાકિસ્તાનમાં કેટલાક લોકો નિયંત્રણ રેખાના રસ્તે થનારા વેપારનો દૂરુપયોગ કરે છે અને તેના મારફતે ગેરકાયદેસર હથિયાર, માદક પદાર્થો અને નકલી ચલણ આદી મોકલી રહ્યા છે.

એનઆઇએ દ્વારા કેટલાક મામલાઓની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે એલઓસીના રસ્તા પર થતા વેપારમાં કેટલાક ચિંતાજનક વ્યાપારિક કાર્યોને અંજામ આપનારા લોકો આતંકવાદ, અલગાવવાદને પ્રોત્સાહિત કરનારા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે નિકટથી સાંઠગાંઠ ધરાવે છે.

આ જ કારણોસર જમ્મુ અને કાશ્મીરમાં સલામાબાદ અને ચક્કાદા બાગમાં એલઓસી વેપાર પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન, વિવિધ એજન્સીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સખત નિયમનકારી પગલા લેવાશે અને તેના અમલને લઇને તંત્રનું પણ નિર્માણ કરાશે. ત્યારબાદ સરહદ પાર વેપારને ફરીથી શરૂ કરવા પર વિચારવિમર્શ કરવામાં આવશે.