જંતર મંતર આમ તો દરેક પ્રકારના પ્રદર્શન માટે જાણીતું છે પણ આ દિવસોમાં 44 વર્ષની OM SHANTI SHARMA એક અલગ જ સપના સાથે જંંતર મંતર પર ધરણા ધરતી જોવા મળી રહિ છે. રાજસ્થાનના જયપુરમાં રહેનારી ઓમ શાંતિ શર્માનું સપનું છે કે તે PM MODI સાથે લગ્નગ્રંથીથી જોડાય. આથી આ મહિલા જંતર મંતર પર ધરણા ધરી રહિ છે. દિલ્લીના JANTAR MANTAR પર 8 સપ્ટેમ્બરથી ઓમ શાંંતિ શર્મા આ સપનાને લઈને ધરણા પર બેઠિ છે.
ઓમ શાંતિ શર્માના જીવન પર એક નજર કરીએ તો આ મહિલાનું કહેવું છે કે તેના પતિએ તેની સાથે દગો કર્યો છે જેની વેદના માત્ર વડાપ્રધાન મોદી જ સમજી શકે છે. આ સાથે આ મહિલાનું કહેવું છે કે PM MODI તેના કરતા ઉંમરમાં પણ મોટા છે અને તે તેમની સેવા કરવા ઈચ્છે છે. શાંંતિ શર્મા PM MODI ના વ્યવહારને યોગ્ય માને છે અને તેમની ગરીબો અને દુખીઓને સહાય કરવાની જે ખાસિયત છે તેનાથી આ મહિલા પ્રભાવિત છે.