નાગપુર
આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ગુરવારે એક કાર્યક્રમમાં સેનાના જવાનોના શહીદી વિષે નિવેદન આપ્યું હતું. ભાગવતે સવાલ ઉઠાવતા કહ્યું કે દેશમાં કોઈ પણ પ્રકારનું યુદ્ધ નથી થઇ રહ્યું તેમ છતાં દેશની સીમા પર સૈનિકો શહીદ થઇ રહ્યા છે. એનું કારણ બીજું કોઈ નહી પરંતુ આપણે સરખી રીતે કામ નથી કરી રહ્યા તે છે.
M Bhagwat:Yahan yudh nahi hai to bhi shahidian hoti hai,kaaran hai ki hum apna kaam theek nahi kar rahe.Nahi to kisi ke saath yudh nahi hai to seema par sainik ke marne ka kaaran nahi hai lekin hota hai.Usko thik karna hai,desh ko bada banana hai to desh ke liye jeena sikhna hoga pic.twitter.com/JOb1Gm6bJc
— ANI (@ANI) January 18, 2019
જો આવું થાત તો કોઈ યુદ્ધ પણ ન થાત અને કોઈ સૈનિકને દેશ માટે શહીદ પણ ન થવું પડત પરંતુ હાલ આવું થઇ રહ્યું છે. જો વાતને યોગ્ય બનાવવી છે તો દેશને મોટો બનાવવો પડશે અને દેશ માટે જીવવું શીખવું પડશે.
વધુમાં તેમણે કહ્યું કે જો લડાઈ થાય તો આખા સમાજને લડવું પડે છે. સીમા પર સૈનિક જાય છે અને સૌથી મોટા જીવનું જોખમ ઉપાડે છે. ખતરો ઉપાડ્યો છતાં તેમની હિમ્મત કાયમ રહે છે. જો તેઓ દેશ માટે શહીદ થઇ જાય તો તેમના પરિવારને કોઈ પણ પ્રકારની કમી ન રહે તેનું ધ્યાન રાખવું એ સમાજની જવાબદારી છે. પોતાના દેશ માટે જીવ આપવાનો એક સમય હતો ત્યારે સ્વતંત્રતા નહતી.
RSS chief Mohan Bhagwat: Aur isliye apne desh ke liye marne ka ek samay tha, jab swatantrata nahi thi. Ab azaadi ke baad apne desh ke liye marne ka samay seemaon par rehta hai jab yudh hota hai to. (17.01.2019)
— ANI (@ANI) January 18, 2019
દેશ આઝાદ થયો હોવા છતાં પણ દેશની સીમા પર સૈનિકોને જીવ આપવો પડે છે અને યુદ્ધ ચાલુ જ રહે છે. દેશની સીમા પર જે ચાલી રહ્યું છે તેને રોકવા માટે અને દેશને મહાન બનાવવા માટે એક કદમ ઉઠાવવો પડશે.
