સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે લગભગ બે વર્ષ પછી લખનઉ ખાતે સમાજવાદી પાર્ટી ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સ રામપુરથી સપાના સાંસદ આઝમ ખાન ના બચાવમાં હતી.
મુલાયમ સિંહ યાદવે સાંસદ આઝમ ખાનનો બચાવ કરતાં કહ્યું કે તેમણે જોહર યુનિવર્સિટી બનાવવા માટે દાનની માંગણી કરી. આઝમ ખાને આખી જિંદગી મહેનત કરી હતી.
મુલાયમ સિંહે વધુમાં કહ્યું કે આઝમ પર ખોટી રીતે કેસ નોંધવામાં આવ્યા. આઝમ ખાં વિરુદ્ધ આ ષડયંત્ર છે, હું તમામ કાર્યકરો અને પાર્ટીના નેતાઓને તેમને સ્પોર્ટ આપવા અપીલ કરું છું. આ દરમિયાન મુલાયમ સિંહ ભાવુક થઈ ગયા હતા.
આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાં હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આઝમ પર ધરપકડનો ખતરો છે. રામપુરમાં આઝમ સામે અત્યાર સુધીમાં 78 કેસ નોંધાયા છે. મંગળવારે બે નવી કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.