દિલ્હી,
ભાજપના દિગ્ગજ અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દુઃખદ અવસાન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. સુષ્મા સ્વરાજનો પાર્થિવ દેહ તેમના નિવાસ સ્થાનથી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર લાવવામાં આવ્યો છે.
અહિયાં તેમને પુષ્પાંજલિ આપવા સેંકડો કાર્યકરો ઉમટી પડ્યા. આપને જણાવી દઈએ એક સુષ્મા સ્વરાજના પાર્થિવદેહ એઇમ્સ હોસ્પિટલથી તેમના ઘરે લઇ જવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તેમના પાર્થિવદેહને કાર્યાલયમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવદેહનેઅંતિમ સંસ્કાર માટે લોધી રોડ ખાતે આવેલા સ્મશાનઘાટ પર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.