જો તમને એડવેન્ચર પસંદ છે અને રજા માટે વિદેશ જવું છે, તો તમારા માટે આ એક સરસ તક છે જેમાં તમે બસમાં સિંગાપોર જઇ શકો છો. ગુરુગ્રામની એક ટ્રાવેલ કંપનીએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તેઓ ભારતથી સિંગાપોર સુધીની બસ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. આ બસ ત્રણ દેશો થઇને સિંગાપોર જશે.
આ બસ સેવા શરૂ કરવાની જાહેરાત એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપની દ્વારા કરવામાં આવી છે. આ સાથે કંપની લોકોને ટિકિટ બૂક કરાવવા પણ કહી રહી છે. સિંગાપોરની યાત્રા મણિપુરના ઇમ્ફાલથી શરૂ થશે અને મ્યાનમાર, થાઇલેન્ડ અને મલેશિયા થઈને સિંગાપોર જશે. બસ મ્યાનમારના કેલ અને યંગૂન શહેર, થાઇલેન્ડ અને કુઆલાંપુરના બેંગકોક અને ક્રાબી શહેરમાંથી પસાર થશે.
આ દિવસે યાત્રા શરૂ થશે
કંપનીના જણાવ્યા અનુસાર આ મુસાફરી ઇમ્ફાલથી 14 નવેમ્બરથી શરૂ થશે અને ટિકિટ બૂકિંગ પહેલા આવનારા પહેલાના ધોરણે થશે. ભારતથી સિંગાપોર અને સિંગાપોરથી ભારત સુધીની મુસાફરી માટે દરેક તબક્કે 20 સીટ ઉપલબ્ધ રહેશે અને આ પ્રવાસને પૂર્ણ થવા માટે કુલ 20 દિવસનો સમય લાગશે. આમાં મુસાફરોએ કુલ 4500 કિ.મી.ની મુસાફરી કરવી પડશે.
એડવેન્ચર ઓવરલેન્ડની વેબસાઇટ અનુસાર, આ વ્યક્તિને આ બસ મુસાફરી માટે 6,25,000 રૂપિયા ચૂકવવા પડશે. આમાં હોટલ, જમવાનું, સાઇડસીન, વિઝા અને સ્ટાન્ડર્ડ ટૂરિસ્ટ વિઝા ફી જેવી ઘણી વસ્તુઓ સામેલ છે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ પહેલા દિલ્હીથી લંડન સુધીની બસ સેવા માટેની યોજનાઓની જાહેરાત કરી છે અને તેને વિશ્વની સૌથી લાંબી માર્ગ યાત્રા ગણાવી છે.