Light Combat Helicopter/ ભારતીય વાયુસેનાનું પ્રથમ સ્વદેશી એટેક હેલિકોપ્ટર LCH જોધપુરમાં તૈનાત કરાશે, આવી છે વિશેષતાઓ

HALએ તૈયાર કરેલા સ્વદેશી હેલિકોપ્ટરને સામેલ કરવાનો સમય આવી ગયો છે, જોધપુરમાં ટૂંક સમયમાં લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે

Top Stories India
LCH

ભારતીય વાયુસેનાનું પ્રથમ સ્વદેશી એટેક હેલિકોપ્ટર LCH જોધપુરમાં તૈનાત કરવામાં આવશે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LACH)ને 3 ઓક્ટોબરે જોધપુર ખાતે એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. LCH ને HAL દ્વારા વિકસાવવામાં આવ્યું છે, જે સ્વદેશી સંરક્ષણ ઉપક્રમ છે.

પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)એ આ વર્ષે માર્ચમાં 15 સ્વદેશી લાઇટ એટેક હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી હતી. આ હેલિકોપ્ટર HAL પાસેથી 3,387 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. જેમાંથી 10 હેલિકોપ્ટર એરફોર્સ અને 5 આર્મી માટે છે.

LCH ની વિશેષતાઓ

  • લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એટલે કે એલસીએચ હેલિકોપ્ટરનું વજન લગભગ 6 ટન છે, જેના કારણે તે ખૂબ જ હલકું છે જ્યારે અપાચેનું વજન લગભગ 10 ટન છે. ઓછા વજનના કારણે તે ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ પોતાની મિસાઈલ અને અન્ય હથિયારો સાથે ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે.
  • એલસીએચ એટેક હેલિકોપ્ટરમાં ખાસ ફ્રાન્સથી લેવામાં આવેલી ‘મિસ્ટ્રલ’ એર-ટુ-એર એટલે કે હવાથી હવામાં મિસાઇલ અને હવાથી જમીન પર મારનારી મિસાઇલ લાગી શકે છે.
  • એલસીએચમાં 70 એમએમના 12-12 રોકેટના બે પોડ્સ છે.
  • આ ઉપરાંત એલસીએચના નોઝમાં એટલે કે ફ્રન્ટમાં 20 એમએમની ગન લગાવવામાં આવી છે, જે 110 ડિગ્રીમાં કોઈપણ દિશામાં ફેરી શકે છે.
  • કોકપિટની તમામ વિશેષતાઓ પાયલટના હેલ્મેટ પર દર્શાવવામાં આવે છે.

1 2 18 ભારતીય વાયુસેનાનું પ્રથમ સ્વદેશી એટેક હેલિકોપ્ટર LCH જોધપુરમાં તૈનાત કરાશે, આવી છે વિશેષતાઓ

એલસીએચ દુશ્મન મિસાઈલને માત આપવામાં માહિર

એચએએલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલસીએચમાં એવા સ્ટીલ્થ ફીચર્સ છે કે તે દુશ્મનના રડાર દ્વારા સરળતાથી પકડાશે નહીં. જો દુશ્મનનું હેલિકોપ્ટર અથવા ફાઇટર જેટ તેની મિસાઇલને LCH પર લૉક કરે છે, તો તે તેને માત પણ આપી શકે છે. એલસીએચ બખ્તરબંધ છે જેથી તેના પર ગોળીબારની કોઈ ખાસ અસર થશે નહીં એટલુ જ નહીં બુલેટની અસર રોટર્સ પર એટલે કે પાંખો પર થશે નહીં.

કારગિલ પછી અનુભવાઈ આ હેલિકોપ્ટરની જરૂરિયાત 

ભારતે કારગિલ યુદ્ધ પછીથી જ એલસીએચ સ્વદેશી એટેક હેલિકોપ્ટર તૈયાર કરવાનું મન બનાવી લીધું હતું, કારણ કે તે સમયે ભારત પાસે એવું એટેક હેલિકોપ્ટર નહોતું જે 15-16 હજાર ફૂટની ઊંચાઈએ જઈને દુશ્મનના બંકરોને નષ્ટ કરી શકે. જોકે, આ પ્રોજેક્ટને 2016માં મંજૂરી મળી હતી. નોંધનીય છે કે ભારતે હાલમાં જ અમેરિકા પાસેથી અત્યંત એડવાન્સ એટેક હેલિકોપ્ટર અપાચે ખરીદ્યું છે, પરંતુ અપાચે પણ કારગિલ અને સિયાચીનની ટોચ પર ટેકઓફ અને લેન્ડ નથી કરી શકતું. પરંતુ અત્યંત હળવા અને ખાસ રોટર હોવાને કારણે, એલસીએચ આવા ઊંચા શિખરો પર પણ તેના મિશનને પાર પાડી શકે છે.

1 2 19 ભારતીય વાયુસેનાનું પ્રથમ સ્વદેશી એટેક હેલિકોપ્ટર LCH જોધપુરમાં તૈનાત કરાશે, આવી છે વિશેષતાઓ

લદ્દાખમાં બે એલસીએચ તૈનાત કરવામાં આવ્યા

ભારતીય વાયુસેના માટે સંપૂર્ણ રીતે તૈયાર થતા પહેલા આ સ્વદેશી LCH હેલિકોપ્ટરનું ટ્રાયલ સિયાચીન ગ્લેશિયરથી રાજસ્થાનના રણ સુધી કરવામાં આવ્યું છે. આ દરમિયાન એલસીએચમાં પૂરતા પ્રમાણમાં ઇંધણ અને હથિયારો પણ રોકાયેલા હતા. વાયુસેનામાં ઔપચારિક રીતે જોડાતા પહેલા જ પૂર્વ લદ્દાખને અડીને આવેલા LAC પર બે LCH હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.