શ્રીલંકામાં અત્યારનો સૌથી ભયાનક આતંકી હુમલો થયો જેમા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણા ઘાયલ થયા. અહી થયેલા બોમ્બ ધમાકાની વિશ્વનાં દરેક મીડિયાએ કવરેજ કરી હતી. જે માટે પત્રકારો શ્રીલંકા પહોચી ગયા હતા. જેમા આપણા દેશથી પણ પત્રકારો પહોચ્યા હતા. મળતી માહિતી અનુસાર આપણા એક પત્રકારની કથિત રીત સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.
શ્રીલંકામાં કવરેજ માટે ગયેલા ભારતીય ફોટો પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર, આ પત્રકાર એક સ્કૂલમાં જબરદસ્તી પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એક રિપોર્ટ મુજબ આ પત્રકારની ઓળખ થઇ ગઇ છે. તેનુ નામ સિદ્દીકી અહમદ દાનિશ છે. તે નવી દિલ્હી સ્થિત રાયટર્સ સમાચાર એજેન્સી માટે કામ કરે છે. સ્થાનીક મીડિયા મુજબ દાનિશ એક બાળકથી સંબંધિત જાણકારી એકત્રિત કરવા માટે સ્કૂલમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાળકની ચર્ચામાં થયેલા ધમાકામાં મૌત થઇ ગઇ હતી.
શ્રીલંકા પોલીસે પત્રકાર દાનિશની ધરપકડ પર કહ્યુ કે, દાનિશને અનધિકૃત પ્રવેશનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, ઇસ્ટર સંડેનાં દિવસે થયેલા બોમ્બ ધમાકાઓમાં આતંકીઓએ ચર્ચ અને ફાઇવ સ્ટાર હોટલોને નિશાનો બનાવ્યા હતા.