કોરોના લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ રેલ્વે ફક્ત સ્પેશીયલ ટ્રેનો ચલાવવામાં આવતી રહી હતી. જો કે શરૂઆતમાં ફક્ત લાંબા અંતરની ટ્રેનો જ ચલાવવામાં આવતી હતી, પરંતુ હવે ટૂંકા અંતરની પેસેન્જર ટ્રેનો પણ કાર્યરત કરવામાં આવી છે. અનેક ટ્રેનોની શરૂઆતમાં ભારતીય રેલ્વેએ મહત્વનો નિર્ણય પણ લીધો છે. ભારતીય રેલ્વેએ રેલ્વે મુસાફરો પાસેથી ટૂંકા અંતરની મુસાફરી માટે વસૂલવામાં આવતા ભાડા માં કેમ વધારો કરવામાં આવ્યો તેની પણ સ્પષ્ટતા કરી છે.
રેલવે મંત્રાલયના નિવેદન આપ્યું હતું કે કોરોનાં વધતા કહેરને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનોમાં ભાડું એટલા જ અંતરની મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જેટલું નક્કી કરવામાં આવ્યું છે. મુસાફરો અને લોકલ ટ્રેન સેવાઓ ફરી શરૂ થયા બાદ ટૂંકા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો લોકોની બિનજરૂરી મુસાફરી અટકાવવા માટે તથા ભીડ થતી અટકાવવા માટે કરવામાં આવ્યો છે અને આ રેલ્વે દ્વારા વધતા ભાડાની અસર 30-40 કિમી સુધીના મુસાફરોને અસર કરશે.
રેલ્વે મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે “કોવિડ -19 હજુ ફેલાયેલો છે અને કેટલાક રાજ્યોમાં પરિસ્થિતિ કાબુમાં રહી નથી. ઘણા રાજ્યોથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે છે અને મુસાફર નિરાશ થાય છે. ભાડામાં થોડો વધારો થતાં રેલવે દ્વારા ટ્રેનોમાં ભીડ અને કોવિડ -19 ના ફેલાવાએ અટકાવવાના પ્રયાસ તરીકે જોવું જોઈએ. ”
પાટણ / કોંગ્રેસ MLA કિરીટ પટેલની જાહેરમાં પ્રશાશન અને ભાજપને ખુલ્લી ચીમકી, કહ્યું….
મહત્વનું છે કે કોરોનાના પગલે 22 માર્ચથી અનેક ટ્રેનો દોડતી બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ધીરે ધીરે ટ્રેનો દોડતી થઇ છે. હજી પણ કેટલીક ટ્રેનોને શરૂ કરવાની બાકી છે.