Not Set/ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલાં ૧૪૬ માછીમારો આવતી કાલે વડોદરા પહોંચશે.

દિલ્હી, પાકીસ્તાન મરીન સીક્યુરીટી એજન્સી દ્વારા છાશવારે ભારતની દરિયાઈ સીમામાં ઘુસી ભારતીય માછીમારોનું બંધુકના નાળચે અપહરણ કરી લેવાય છે. આવા બંધક બનાવેલા માછીમારોને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે. આવા પાકિસ્તાનની જેલમાં રહેલા ૧૪૬ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી પાકિસ્તાન દ્વારા શુક્રવારે મુક્ત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર પાકિસ્તાન દ્વારા એક દિવસ વહેલા ગુરૂવારે મુક્ત કરી દેવાયા […]

Top Stories
fishermen પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલાં ૧૪૬ માછીમારો આવતી કાલે વડોદરા પહોંચશે.

દિલ્હી,

પાકીસ્તાન મરીન સીક્યુરીટી એજન્સી દ્વારા છાશવારે ભારતની દરિયાઈ સીમામાં ઘુસી ભારતીય માછીમારોનું બંધુકના નાળચે અપહરણ કરી લેવાય છે. આવા બંધક બનાવેલા માછીમારોને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે. આવા પાકિસ્તાનની જેલમાં રહેલા ૧૪૬ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી પાકિસ્તાન દ્વારા શુક્રવારે મુક્ત કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર પાકિસ્તાન દ્વારા એક દિવસ વહેલા ગુરૂવારે મુક્ત કરી દેવાયા હતાં. આ ૧૪૬ ભારતીય માછીમારો આજે વાઘા બોર્ડર આવી પહોચશે અને કાલે વડોદરા પહોચશે.

પોરબંદર માછીમાર બોટ એસોસીએશનનાં પ્રમુખ ભરત મોદીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં કેદ કરાયેલા ભારતીય માછીમારોમાથી ૨૯૧ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય તાજેતરમાં પાકિસ્તાનની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સામાજીક સંસ્થાએ દરેકને પાંચ હજાર આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

આ મુક્ત થયેલા માછીમારો અમૃતસરથી ટ્રેન મારફતે આવતી કાલે વડોદરા પહોચી આવશે. અને ત્યાંથી આ માછીમાર આગામી બીજી તારીખે માદરે વતન વેરાવળ પહોંચશે. જેને માદરેવતન લાવવા માટે ફીશરીઝ વિભાગના અધિકારીઓની એક ટીમ પંજાબની વાઘા બોર્ડર જવા રવાના થઈ હોવાનું પણ જાણવા મળેલ છે.

મુક્ત થયેલાં માછીમારોમાં પોરબંદરના એક, ગીર-સોમનાથનાં 118, દ્વારકા 8, જામનગર 1, સુરત 1, ઉત્તર પ્રદેશ 3, દીવ 10, બિહારના 1 જિલ્લાના એક માછીમારનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનની જેલમાં બંધક બનાવેલ ભારતીય માછીમારો પૈકી ૧૪૫ જેટલા માછીમારોને પ્રથમ તબક્કામાં મુક્ત કર્યા છે. જયારે બીજા તબ્બકામાં આગામી તારીખ ૮ જન્યુઆરીએ ૧૪૬ માછીમારોને મુક્ત કરવામાં આવશે.

તસ્વીર પ્રતીકાત્મક છે.