ફિલીપીન્સમાં લુજોન દ્રીપમાં ચાર વર્ષ પછી ફરી જ્વાળામુખી જાગ્યો છે. જ્વાળામુખીના વૈજ્ઞાનિકો ચેતવણી આપી છે કે થોડા જ દિવસમાં વિસ્ફોટ થઈ શકે છે. આ ચેતવણી પછી ફિલિપિનમાં હજારો લોગો પોતાના ઘરોને છોડીને બીજી જગ્યાએ જતાં રહ્યાં છે.
વૈજ્ઞાનિકો કહ્યું કે જ્વાળામુખીમાં ભુંકપો અને પથરો પડવાથી મેયોન જવાળામુખીનું શિખર છેલ્લાં ૨૪ કલાકમાં હલી ગયો છે, આ પહેલા ઘણીવાર જ્વાળામુખીમાં જ્વાળા ઉઠતી દેખાઈ છે.
જ્વાળામુખીના 7 કિલોમીટર એરિયામાં રહેતાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્વાળામુખી ગમે ત્યારે રોદ્રરૂપ ધારણ કરી શકે છે જેના લીધે હજારો લોકોનું સ્થળાંત કરવામાં આવ્યું છે.
જ્વાળામુખી માંથી ઝેરીલા ગેસ નીકળવાની ચેતવણી આપવામાં આવી છે. અહી ઉઠવાવાળા ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે.