જામિયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓ ગુરુવારે રાષ્ટ્રપિતાના સ્મારક સ્થળ રાજઘાટ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે એક યુવકે અચાનક જ એક પિસ્તોલ લહેરાવી હતી અને તેણે પેલીસ અને મીડિયા તેમજ ત્યાં હાજર તમામ લોકોની સામે જ કેમ્પસથી થોડા પગથિયા પર વિરોધ કરી રહેલા વિદ્યાર્થી પર ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચાડી હતી. આ ઘટના અંગે AIMIMના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ત્રણ ટ્વીટ કરીને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર, પીએમ નરેન્દ્ર મોદી સહિત દિલ્હી પોલીસ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે નમસ્તે પીએમઓ, તેના(ફાયરીંગ કરનાર વ્યક્તિ) કપડા પરથી તેને ઓળખો.
પ્રથમ ટ્વિટમાં ઓવૈસીએ કહ્યું કે અનુરાગ ઠાકુર અને તમામ 9 PM રાષ્ટ્રવાદીઓનો આભાર, જેમણે આ દેશમાં એટલી નફરત ઉભી કરી છે કે પોલીસની નજર સામે આતંકવાદીએ એક વિદ્યાર્થીને ગોળી મારી દીધી હતી. હેલો પીએમ, તેના કપડાંથી તેને ઓળખો.
Thanks to @ianuragthakur & all the 9 PM nationalists who have created so much hatred in this country that a terrorist shoots a student while cops watch
Hi @PMOIndia identify him by his clothes https://t.co/GfrWpBUgGF pic.twitter.com/BwBtrfdukP
— Asaduddin Owaisi (@asadowaisi) January 30, 2020
બીજા ટ્વીટમાં તેમણે કહ્યું કે ગયા મહિને જામિયામાં દિલ્હી પોલીસે તેમની(વિદ્યાર્થી) સાથે બહાદુરી બતાવી હતી? જો લાચાર લોકોને મારવાનું ઇનામ આપવામાં આવે તો તમે તે દરેક વખતે જીતી લેશો. શું તમે સમજાવી શકો છો કે બુલેટથી ઘાયલ પીડિતને કેમ બેરિકેડ પર ચડવું પડ્યું? શું તમારા સેવાના નિયમો તમને મનુષ્ય બનતા અટકાવે છે?
. @DelhiPolice What happened to the bravado that you showed in #Jamia last month?
If there’s a prize for being ‘helpless’ bystanders, you’d win it every time. Can you explain why a gunshot victim had to CLIMB over a barricade?
Do your service rules stop you from being HUMANE? pic.twitter.com/LQpYWwEAaL
— Asaduddin Owaisi (@asadowaisi) January 30, 2020
ત્રીજા ટ્વીટ પર તેમણે કહ્યું કે આ ઘટના આજે ત્યારે બની જ્યારે અમે ગાંધીજીને યાદ કરી રહ્યા હતા કારણ કે તેમની આતંકવાદી ગોડસે દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓ આ ઘટનાના વિરોધમાં કૂચ પર જઈ રહ્યા હતા. આવી કાયરતા એમને ડરાવી શકશે નહીં. વિરોધ થશે. આ હવે ગોડસે વિ ગાંધી, આંબેડકર અને નેહરુનું ભારત છે. કોઇનો પક્ષ લેવો સરળ છે.
It happened today, when we were remembering terrorist Godse’s murder of Gandhi. When students were going to march to mark the event.
Such cowardice does not scare us. The protests will go on. This is now Godse v. Gandhi’s, Ambedkar’s & Nehru’s India
It’s easy to pick a side
— Asaduddin Owaisi (@asadowaisi) January 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
