જમિઆત ઉલામા-એ-હિંદનાં અઝેમુલ્લાહ સિદ્દીકી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જમિઆત ઉલામા-એ-હિન્દની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિએ ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) અને વકફ મિલકતો દ્વારા સંચાલિત બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે સમીક્ષા અરજી દાખલ ન કરવા અંગેના ઠરાવો પસાર કર્યા છે, જેમાં.
જમિઆત ઉલામા-એ-હિંદે સ્પષ્ટતા જારી કરી છે કે “જમિઆત ઉલામા-એ-હિંદે એક ઠરાવ પસાર કર્યો છે કે તે બાબરી મસ્જિદ અને મસ્જિદો અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ સમીક્ષા અરજી દાખલ નહીં કરે, જે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) અને વકફ દ્વારા સંચાલિત મિલકતો છે. “
આપને જણાવી દઇએ કે, 70 વર્ષથી સુપ્રીમમાં ચાલી રહેલા અયોધ્યા વિવાદમાં સુપ્રીમ દ્વારા રામજન્મભૂમી ન્યાસને વિવાદીત જગ્યા પર મંદિર બનાવવાની અને મુસ્લિમ પક્ષોને અયોધ્યામાં જ વૈક્લપિ જગ્યા આપવાનો ચુકાદો આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન