Suicide/ જમ્મુ-કાશ્મીરમાં સેનાના અધિકારીએ પોતાને જ ગોળીમારી કર્યો આપઘાત

આર્મીના એક અધિકારીએ ગોળી મારીને આત્મહત્યા કરી છે.

Top Stories India
A 49 જમ્મુ-કાશ્મીરમાં સેનાના અધિકારીએ પોતાને જ ગોળીમારી કર્યો આપઘાત

જમ્મુ-કાશ્મીરથી એક મોટો સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં આર્મીના એક અધિકારીએ ગોળી મારીને આત્મહત્યા કરી છે. સૈન્ય અધિકારીઓએ સમાચારની પુષ્ટિ કરી અને માહિતી આપી. તેમણે કહ્યું છે કે આર્મીના એક અધિકારીએ ગોળીમારી આત્મહત્યા કરી છે. જો કે, આ પાછળનું કારણ શું છે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.મામલો શ્રીનગરનો છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સૈન્ય અધિકારીનું નામ સુદિપ ભગતસિંહ કહેવમાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : દાદી ઈન્દિરા ગાંધીનો ઇમર્જન્સી લગાવવાનો નિર્ણય તેમની ભૂલ : રાહુલ ગાંધી

આ પહેલા પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા જેમાં દિલ્હી પોલીસના એક એએસઆઈએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સવારે બની હતી. ઝાખીરા ફ્લાયઓવર નજીક સ્થિત પીસીઆર વાનમાં એએસઆઈએ છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. જે મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સવારે 7:05 વાગ્યે આ આત્મહત્યા મોતીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બુલેટથી ખરાબ રીતે ઘાયલ થયેલ 55 વર્ષિય એએસઆઈ તેજપાલને પીસીઆરના ડ્રાઇવર દ્વારા એબીજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ક્રાઇમ બ્રાંચની ટીમ પીસીઆર વાનની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : અહીં કોરોનાની રસીના બે ડોઝ લીધા છતાં પણ હેલ્થ વર્કરને એન્ટીબોડી નહીં બન્યા : કોરોના પડકારરૂપ