Jammu Kashmir News: જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઓમર અબ્દુલ્લા કેન્દ્ર શાસિત પ્રદેશના નવા સીએમ બન્યા છે. તેમણે આજે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. તેમની સાથે 5 વધુ મંત્રીઓએ પણ શપથ લીધા. ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ પહેલો નિર્ણય લીધો છે.
ઓમર અબ્દુલ્લા (omar abdullah)એ તેમનો કાફલો રસ્તા પરથી પસાર થાય ત્યારે ગ્રીન કોરિડોર ન બનાવવા સૂચના આપી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, “મેં જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક સાથે વાત કરી છે કે જ્યારે હું રોડ માર્ગે ક્યાંય પણ જાઉં ત્યારે કોઈ ‘ગ્રીન કોરિડોર’ ન બનાવવો જોઈએ કે ક્યાંય પણ ટ્રાફિકને રોકવો જોઈએ નહીં. મેં તેમને જાહેર અસુવિધા ઘટાડવા અને સાયરનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા માટે નિર્દેશ આપ્યો છે.
સીએમએ આગળ લખ્યું, “કોઈપણ પ્રકારની લાકડી લહેરાવી અથવા આક્રમક હાવભાવ સંપૂર્ણપણે ટાળવા જોઈએ. હું મારા કેબિનેટ સાથીદારોને દરેક બાબતમાં સમાન ઉદાહરણને અનુસરવાનું કહી રહ્યો છું. અમે અહીં લોકોની સેવા કરવા માટે છીએ અને તેમને અસુવિધા કરવા માટે નથી.”
I have spoken to the DG @JmuKmrPolice that there is to be no “green corridor” or traffic stoppage when I move anywhere by road. I have instructed him to minimise public inconvenience & the use of sirens is to be minimal. The use of any stick waving or aggressive gestures is to be…
— Omar Abdullah (@OmarAbdullah) October 16, 2024
સુરિન્દર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બુધવારે પાર્ટીના નેતા સુરિન્દર ચૌધરીને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે તેમણે આ પદ માટે નૌશેરાના ચૌધરીને પસંદ કર્યા કારણ કે તેઓ વિસ્તારના લોકોને પ્રતિનિધિત્વ આપવાની સાથે તેમની સરકારને સમાવેશી બનાવવા માંગે છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમરે શપથગ્રહણ સમારોહ બાદ પત્રકારોને જણાવ્યું હતું કે અમારો પ્રયાસ તમામને સાથે લઈને ચાલવાનો રહેશે. અબ્દુલ્લા સાથે, પાંચ મંત્રીઓ – સકીના મસૂદ (ઇટુ), જાવેદ ડાર, જાવેદ રાણા, સુરિન્દર ચૌધરી અને સતીશ શર્માએ પણ પદના શપથ લીધા. અબ્દુલ્લાએ કહ્યું કે ત્રણ પદ ખાલી છે અને તે પણ ધીમે ધીમે ભરવામાં આવશે. તેમણે કહ્યું કે ચૌધરીને નાયબ મુખ્યપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા જેથી જમ્મુના લોકો સરકારથી અળગા ન થાય.
ઓમરે કહ્યું, “મેં કહ્યું હતું કે અમે જમ્મુને એવું અનુભવવા નહીં દઈએ કે આ સરકારમાં તેમનો કોઈ અવાજ નથી, તેમનો કોઈ પ્રતિનિધિ નથી. મેં જમ્મુમાંથી નાયબ મુખ્યમંત્રીની પસંદગી એટલા માટે કરી છે કે જમ્મુના લોકોને લાગે કે આ સરકાર જેટલી અન્યની છે એટલી જ તેમની પણ છે.
સરકારમાં કોંગ્રેસના કોઈ મંત્રી સામેલ નથી
નોંધનીય છે કે વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશમાં આ પ્રથમ ચૂંટાયેલી સરકાર છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 90માંથી 42 બેઠકો જીતી હતી જ્યારે સહયોગી કોંગ્રેસને છ બેઠકો મળી હતી.
રસપ્રદ વાત એ છે કે ખીણમાં સરકારમાં નેશનલ કોન્ફરન્સના સહયોગી કોંગ્રેસ તરફથી કોઈ મંત્રી સામેલ નથી. પાર્ટીએ સરકારને બહારથી સમર્થન આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:મર અબ્દુલ્લાની સરકારમાં નહીં જોડાય, કોંગ્રેસે લીધો મોટો નિર્ણય
આ પણ વાંચો:ઓમર અબ્દુલ્લા આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે? 2018થી હતું રાષ્ટ્રપતિ શાસન
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી પરિણામ Live: ગઠબંધનની થઈ જીત, ઓમર અબ્દુલ્લા બનશે મુખ્યમંત્રી
