જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. તે જ સમયે, આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન શહીદ થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે શોપિયાંના જૈનપુરા વિસ્તારમાં ચેરમાર્ગમાં આતંકવાદીઓની હાજરી વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પગલે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
અધિકારીએ કહ્યું કે જ્યારે સુરક્ષા દળો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, જે બાદ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
#ShopianEncounterUpdate: 01 #terrorist killed. Search going on. Further details shall follow. @JmuKmrPolice https://t.co/jGWjW5YgEA
— Kashmir Zone Police (@KashmirPolice) February 19, 2022
નોંધનીય છે કે જાન્યુઆરીમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકીઓમાં જૈશનો કમાન્ડર પણ સામેલ હતો. આ એન્કાઉન્ટર પુલવામા અને બડગામ જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન થયું હતું.
