Bihar News/ ધોળા દિવસે 25 કરોડ રૂપિયાની જ્વેલરી શોરૂમમાં લૂંટ, ઘટના CCTVમાં કેદ, એન્કાઉન્ટરમાં 2 ઠાર

બિહારના આરામાં ધોળા દિવસે તનિષ્ક જ્વેલરી શોરૂમમાંથી 25 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. લગભગ 8-10 સશસ્ત્ર આરોપીએ શોરૂમના સ્ટાફને બંધક બનાવીને 30 મિનિટ સુધી લૂંટ ચલાવી.

Top Stories India

National News : બિહારના આરામાં તનિષ્ક જ્વેલરી શોરૂમમાં 25 કરોડ રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, ત્યારબાદ પોલીસે એન્કાઉન્ટરમાં 2 ગુનેગારોને ગોળી મારીને ઘાયલ કર્યા હતા. બદમાશોએ દિવસના અરસામાં શોરૂમમાં લૂંટ ચલાવી હતી અને સોના, ચાંદી અને હીરાના દાગીના અને રોકડ રકમ લઈને ભાગી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરોપીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે જેમાં તેમને ગોળી વાગી છે અને બંનેની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરા-છપરા મુખ્ય માર્ગ પર બાબુરા નજીક ગુનેગારો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 2 ગુનેગારો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ લૂંટની ઘટના શોરૂમમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગુનેગારો 2 જૂથોમાં શોરૂમમાં ઘૂસ્યા હતા અને અંદર જતાની સાથે જ તેમણે પોતાના હથિયારો કાઢીને બધાને ધમકાવ્યા હતા. તેઓએ સ્ટાફને બંધક બનાવી લીધા અને શોરૂમમાં રાખેલા સોના, ચાંદી અને હીરાના દાગીના બેગમાં ભરીને ભાગી ગયા.

તનિષ્ક શોરૂમની સેલ્સ ગર્લ સિમરને જણાવ્યું કે, લૂંટની શંકા થતાં જ તેણે ડાયલ 112 પર ફોન કર્યો હતો. પરંતુ પોલીસ આવે તે પહેલાં જ ગુનેગારોએ ગુનો કર્યો અને ભાગી ગયા. સિમરનના કહેવા મુજબ તેણે 25-30 વાર પોલીસને ફોન કર્યો, પરંતુ કોઈ મદદ મળી નહીં.સ્ટોર મેનેજર કુમાર મૃત્યુંજયના જણાવ્યા અનુસાર, લગભગ 25 કરોડ રૂપિયાના દાગીના લૂંટાઈ ગયા છે, જ્યારે રોકડ રકમનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ગુનેગારોએ સ્ટાફના મોબાઈલ ફોન પણ છીનવી લીધા હતા અને તેમને એક જગ્યાએ બંધક બનાવીને લૂંટતા રહ્યા હતા.

લૂંટ બાદ ભોજપુર SP સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. SP શ્રી રાજે જણાવ્યું હતું કે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને પકડવા માટે એક SITની રચના કરવામાં આવી છે. પરંતુ શોરૂમથી માત્ર 600 મીટર દૂર આવેલા શહેર પોલીસ સ્ટેશનની પોલીસ લૂંટ દરમિયાન ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી, જેના કારણે પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. SP એ સ્વીકાર્યું કે આ એક મોટી સુરક્ષા ભૂલ હતી. SIT ટીમ ગુનેગારોને ઓળખવામાં વ્યસ્ત છે અને એવો દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પરંતુ આ ઘટનાએ ફરી એકવાર બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચિત્રા SBI બેન્ક બહાર રૂપિયા 75 લાખની લૂંટ, ગણતરીના કલાકોમાં 3 આરોપી પકડાયા

આ પણ વાંચો: ભાવનગરમાં રૂપિયા 75 લાખની લૂંટના CCTV સામે આવ્યા

આ પણ વાંચો: નડિયાદમાં લૂંટારૂઓનો નિષ્ફળ પ્રયાસ, વેપારીએ બતાવી બહાદુરી