જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (જેએનયુએસયુ) એ આંતર હોસ્ટેલ એડમિનિસ્ટ્રેશન (આઇએચએ) ના છાત્રાલયની માર્ગદર્શિકામાં સુધારો કરવાના નિર્ણયને મંગળવારે દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. આ સુધારામાં ફી વધારાની જોગવાઈ છે.
આ અરજી જેએનયુએસયુ પ્રમુખ આઇષિ ઘોષ અને તેમના અન્ય હોદ્દેદારો સાકેત મૂન, સતિષચંદ્ર યાદવ અને મોહમ્મદ ડેનિશ દ્વારા દાખલ કરવામાં આવી હતી.
આ પિટિશનમાં 28 ઓક્ટોબર 2019 ના રોજ પ્રકાશિત આઇએચએની કાર્યવાહી, 24 નવેમ્બર 2019 ના રોજ રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિના અધિકારક્ષેત્ર અને તેની ભલામણોની વિગતો આપવામાં આવી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે આઈએચએનાં નિર્ણયો દૂષિત, મનસ્વી, ગેરકાયદેસર અને વિદ્યાર્થીઓને પ્રતિકૂળ અસર કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.