જૂનાગઢ,
જૂનાગઢના વંથલીમાં આવેલી સ્વાનીનારાયણ મંદિરના સાધુ એકાએક રાતે ચાલ્યા જતાં અનેક તર્કવિતર્કો થવા પામ્યા છે. સાધુ કોઈને જાણ કર્યા વગર જતા રહેતા અનેક ચર્ચાઓ થવા પામી છે.
શ્રીજીસ્વરૂપદાસ સ્વામીનારાયણની એક પેટા શાખાના સંત છે. સાધુ સામે શિસ્તભંગ કરીને સંસ્થા છોડી જવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
મંદિરના ટ્રસ્ટીઓ અને સાધુ મંડળની બેઠક યોજાઈ હતી.જેમાં જતા રહેનાર સાધુ સાથે કોઈ સબંધ ન રાખવા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
