કેરળના આરોગ્ય વિભાગે સબરીમાલા મંદિરના વિસ્તારમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ અંગેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. તદનુસાર, સબરીમાલા, જ્યાં ભગવાન અયપ્પાનું મંદિર આવેલું છે, ત્યાં ભક્તો ઉપરાંત તૈનાત તમામ અધિકારીઓએ આરટી-પીસીઆર તપાસ કરાવી લેવી જોઈએ.
PM MODI / દિલ્હીમાં વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરી રહ્યો છે, પરંતુ અમે શંક…
KBC / ભરૂચનું ગૌરવ ..!! 14 વર્ષીય બાળક કેબીસીમાં જીત્યો આટલી મોટી …
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરને ગયા મહિને વાર્ષિક માંજલ મકરવિલકકુ યાત્રા માટે ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર ખોલ્યું ત્યારથી કોરોના વાયરસના ચેપના 299 કેસ નોંધાયા છે. તેમાંથી 51 યાત્રાળુઓ, 245 કર્મચારી અને ત્રણ અન્ય છે.
Kutchh / ટેન્ટસિટીમાં વિશાળ ડોમમાં વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…