Breaking News: પાટણનાસાંતલપુર તાલુકાના નળિયા ગામ નજીક ખારી નદીમાં ન્હાવા ગયેલા નવ યુવકોની દુ:ખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે ચાર યુવકો હજુ લાપતા છે. સ્થાનિકોની મદદથી ચાર યુવકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો.
આજે બપોરે નળિયા ગામના નવ યુવકો ખારી નદીમાં ન્હાવા ગયા હતા. નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી યુવકો તણાઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને ચાર યુવકોને બહાર કાઢવામાં સફળતા મળી. જોકે, એક યુવકને વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો, જ્યાં તેનું મોત નીપજ્યું. બાકીના ચાર યુવકો હજુ ગુમ છે, અને તેમની શોધખોળ માટે SDRFની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
