પહેલીવાર દિલ્હીની બહાર વિદેશ મંત્રાલયની વાર્ષિક કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે કોન્ફરન્સનું આયોજન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ટેન્ટ સીટી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી, વિદેશમંત્રી ડો એસ જયશંકર સંબોધન કરશે. આ ઉપરાંત તમામ દેશોમાં આવેલા ભારતીય દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.
કોંફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયની કામગીરીને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકવામાં આવશે. તેમજ વિદેશમાં વસતા ભારતીયો માટે મોદી સરકારના રોડમેપને લઈને પણ ચર્ચા થશે. પીએમ મોદી તમામ અધિકારીઓને માર્ગદર્શન આપશે. વિદેશ મંત્રાલય સામેના પડકારોને લઈને પણ ચર્ચા થશે. વિદેશમાં ભારતીય કમિશનરો દ્વારા થયેલા કામની પણ સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતમાં અગાઉ ગૃહમંત્રાલયની ડીજી કોંફરન્સ પણ ગુજરાતમાં યોજાઈ ચૂકી છે. ત્યારે હવે વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સનું સપ્ટેમ્બરમાં રાજ્યમાં યોજાશે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ગુજરાત આવશે
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.