સુપ્રીમ કોર્ટની અવમાનના મામલામાં સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાએ શુક્રવારે માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, કોઈ વકીલ નહીં, કોઈ માફી નહીં, કોઈ દંડ નહીં, સમયનો બગાડ નહીં. તેમણે કહ્યું કે, તેમને ‘સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ અને દેશનાં સૌથી મોટા કાનૂની અધિકારી જેવી ઓડિયંસ મળી છે, તે સંભવતઃ સૌથી વીઆઇપી છે. આપને જણાવી દઇએ કે, કૃણાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એન્કર અર્ણવ ગોસ્વામીને અપાયેલી જામીન પર સવાલ ઉઠાવ્યા હતા.
એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કૃણાલ કામરા વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા સંમત થયાનાં એક દિવસ પછી, સ્ટેન્ડ-અપ કોમેડિયને શુક્રવારે સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ વિરુદ્ધ એક ખુલ્લો પત્ર જારી કરીને લખ્યું કે, પ્રિય ન્યાયાધીશો, શ્રી કે.કે.વેણુગોપાલજી, મેં તાજેતરમાં જે ટ્વીટ્સ કર્યુ, તેને કોર્ટની અવમાન ગણાવામા આવેલ છે. મે જે પણ ટ્વીટ કર્યુ તે સુપ્રીમ કોર્ટનાં એક પ્રાઇમ ટાઇમ લાઉડસ્પીકરનાં પક્ષમાં આપવામાં આવેલા પક્ષપાતી ચુકાદા પ્રત્યેનું મારું વલણ હતું. કૃણાલે લખ્યું છે કે, મને લાગે છે કે મારે તે માની લેવુ જોઇએ કે મને કોર્ટ લગાવવામાં ખૂબ જ મજા આવે છે અને સારી ઓડિયન્સ પસંદ આવે છે. સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશો અને દેશનાં ટોચનાં કાયદાકીય અધિકારીઓ જેવા પ્રેક્ષકો સૌથી વીઆઇપી હોઈ શકે છે. પરંતુ હું સમજું છું કે જો હું ક્યાંય પણ પ્રદર્શન કરું તો સુપ્રીમ કોર્ટ સમક્ષ સમય મળવો દુર્લભ હશે.
કૃણાલે લખ્યું છે કે, મારો અભિપ્રાય બદલાયો નથી કારણ કે અન્યની અંગત સ્વાતંત્ર્ય બાબતે સુપ્રીમ કોર્ટનું મૌન ટીકા કર્યા વિના પસાર થઈ શકે નહી. હુ મારા ટ્વીટ્સ પાછા ખેંચવાનો અથવા તે માટે માફી માંગવાનો ઇરાદો રાખતો નથી. મને લાગે છે કે તેઓ આ નિવેદન પોતે કરે છે. હું મારા અવમાનનાની અરજી, અન્ય કેસો અને વ્યક્તિઓ કે જેઓ મારા જેટલા ભાગ્યશાળી નથી, ની સુનાવણી માટે સમય મળવાની રાહ જોઉ છું. શું હું સૂચન કરી શકું છું કે ડિમોનેટાઇઝેશન સંબંધિત અરજી, જમ્મુ અને કાશ્મીરનાં વિશેષ દરજ્જાને રદ કરવાના નિર્ણય સામેની અરજી, ઇલેક્ટોરલ બોન્ડની કાનૂની માન્યતાને પડકારતી પિટિશન અને અન્ય ઘણા કેસો પર વધુ સુનાવણી કરવાની જરૂર છે.
BJP સાંસદની નીતિશ કુમારને અપીલ, દારૂબંદીમાં કરે સંશોધન
2021 T20 WC નુ કાઉન્ટડાઉન શરૂ, ગાંગુલીએ શેર કર્યો ટ્રોફીનો ફોટો