બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ અભિનેતા રણબીર કપૂરને ડેટ કરી રહી છે. તાજેતરમાં રણબીર કપૂરને કોરોનાથી ચેપ લાગ્યો છે. આવી સ્થિતિમાં આલિયાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે નેગેટિવ આવી હતી. આલિયાનો જન્મદિવસ 15 માર્ચે છે, તે આ વખતે તેનો જન્મદિવસ નહીં ઉજવે, કારણ કે રણબીર કપૂર બીમાર છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રી તેના મિત્રના લગ્નમાં ભાગ લેવા જઇ રહી છે.
આલિયા રણબીરથી દૂર હોવા છતાં પણ તેને મોટિવેટ કરતી જોવા મળી છે. રણબીરને કોવિડ થયા બાદ તાજેતરમાં જ આલિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું છે કે, ‘આપણે જે ચીજથી પસાર થઇએ છીએ તેનાથી આગળ વધીએ છીએ.’
આલિયા જયપુર જવા રવાના થઈ
આલિયા ભટ્ટને તાજેતરમાં એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે. રણબીર કપૂરને બીમાર રાખીને આલિયા જયપુર ગઈ છે. ખરેખર, સમાચાર મુજબ આલિયા ભટ્ટ એક મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જયપુર ગઈ છે.
View this post on Instagram
ટ્રાન્સફરન્ટ ડ્રેસમાં જ્હાન્વી કપૂરને જોઇને ચાહકો થયા ઘાયલ, જુઓ તમે પણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીર કપૂર ‘બ્રહ્માસ્ત્ર’ ના સેટ પર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. નીતુ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને તેની પુષ્ટિ કરી છે. તેણે રણબીર કપૂરનો એક ફોટો શેર કરતાં લખ્યું કે, ‘તમારી તમામ ચિંતાઓ અને ઇચ્છાઓ બદલ આભાર. રણબીરને કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. તે દવાઓ લઈ રહ્યો છે અને તેની સ્થિતિ સુધરી રહી છે. તે તમામ પ્રકારની સાવચેતી લઈ રહ્યો છે.
11 માર્ચે વિશ્વ કિડની દિવસની ઉજવણી નિમિત્તે બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જીથી માંડીને રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સુધી દરેકે પોતાની કિડની દાન આપવાનું વચન આપ્યું હતું.
થોડા દિવસો પહેલા રણબીરે આલિયા સાથે લગ્ન કરવાની યોજના વિશે જણાવ્યું કે જો આ રોગચાળો આપણા જીવનમાં ન આવ્યો હોત તો આપણે લગ્ન કરી લીધા હોત. હું મારા જીવનમાં જલ્દીથી આ લક્ષ્યને ટિક માર્ક કરવા માંગુ છું.