આરજેડી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવે ટ્વિટ કરીને પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં તેમના પિતા અને આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવને મળશે અને રાજીનામું સોંપશે. તેજ પ્રતાપે કહ્યું છે કે તેઓ હંમેશા તેમના પિતાના પગલે ચાલ્યા છે અને તમામ કાર્યકરોને સન્માન આપ્યું છે.
मैं अपने पिता के नक्शे कदम पर चलने का काम किया । सभी कार्यकर्ताओं को सम्मान दिया जल्द अपने पिता से मिलकर अपना इस्तीफा दूंगा ।@laluprasadrjd @RJDforIndia @yadavtejashwi @RabriDeviRJD @MisaBharti @Chiranjeev_INC
— Tej Pratap Yadav (@TejYadav14) April 25, 2022
સોમવારે જ યુવા આરજેડીના મહાનગર અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ રામરાજ યાદવે દાવત-એ-ઈફ્તારના દિવસે બંધ રૂમમાં માર મારવાનો અને આ ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેના પર મારપીટનો વીડિયો બનાવવાનો પણ આરોપ છે. ત્યારે તેજ પ્રતાપે કહ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ, MLC સુનીલ કુમાર સિંહ અને તેજસ્વી યાદવના સલાહકાર સંજય યાદવ તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. આ પછી તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે તેજ પ્રતાપ યાદવ અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. 26 માર્ચે તેજ પ્રતાપ યાદવે બે ટ્વીટ કરીને ઘણા નેતાઓના ચહેરાને બેનકાબ કરવાની વાત કહી હતી. પહેલા ટ્વીટમાં તેણે કહ્યું હતું કે સમય આવી ગયો છે… એક મોટા ઘટસ્ફોટનો, ટૂંક સમયમાં હું તે બધા ચહેરા પરથી માસ્ક હટાવીશ… જેમણે મને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે.
તેજ પ્રતાપે તેમના બીજા ટ્વિટમાં લખ્યું હતું કે તેમના ગળામાં તુલસીની માળા અને તેમના હૃદયમાં પાપ…. ભગવાનના નામનો આશરો લેનારા આ ઢોંગીઓને ટૂંક સમયમાં સજા મળશે.