Not Set/ સંસદમાં ચર્ચા વગર જ કાયદા પસાર થઇ જાય છે : મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમના

તે દિવસોમાં ગૃહોમાં થતી ચર્ચાઓ પર નજર નાખો તો તેઓ ખૂબ જ બુદ્ધિશાળી, સર્જનાત્મક હતા અને તેઓ જે પણ કાયદાઓ બનાવતા હતા તેની ચર્ચા કરતા હતા

Top Stories

આઝાદીની ઉજવણી પ્રસંગે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી.રમાનાએ આજે ​​સંસદની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. સંસદમાં હંગામાનો ઉલ્લેખ કરતા તેમણે સંસદીય ચર્ચાઓ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હવે સંસદમાં ચર્ચાઓ થતી નથી. તેમણે કહ્યું કે આવા ઘણા કાયદા સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે, જેમાં ઘણી ખામીઓ હતી. પહેલાના સમય સાથે સરખામણી કરતા મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમાનાએ કહ્યું કે જ્યારે સંસદના બંને ગૃહો વકીલોથી ભરેલા હતા, પરંતુ હવે હાલની પરિસ્થિતિ અલગ છે. તેમણે કાનૂની સમુદાયના લોકોને પણ જાહેર સેવા માટે તેમનો સમય ફાળવવા કહ્યું છે.

સીજેઆઇ રમાનાએ કહ્યું કે હવે યોગ્ય ચર્ચા વગર કાયદાઓ પસાર કરવામાં આવી રહ્યા છે, જો તમે તે દિવસોમાં ગૃહોમાં થતી ચર્ચાઓ પર નજર નાખો તો તેઓ ખૂબ જ બુદ્ધિશાળી, સર્જનાત્મક હતા અને તેઓ જે પણ કાયદાઓ બનાવતા હતા તેની ચર્ચા કરતા હતા , પરંતુ હવે પરિસ્થિતિ ખેદજનક છે. જો આપણે કાયદા પર નજર કરીએ તો આપણને જાણવા મળે છે કે કાયદા ઘડવામાં ઘણી છટકબારીઓ છે અને તેમાં ઘણી અસ્પષ્ટતા છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલ કાયદામાં કોઈ સ્પષ્ટતા નથી. કાયદાઓ કયા હેતુ માટે બનાવવામાં આવે છે તે આપણે જાણતા નથી. આનાથી ઘણી બધી મુકદ્દમાઓ, તેમજ અસુવિધા અને લોકોને નુકસાન થાય છે. ગૃહોમાં બુદ્ધિજીવીઓ અને વકીલો જેવા વ્યાવસાયિકો ન હોય તો આવું જ થાય છે.

ઉલ્લેખનીય છે કે  પેગાસસ જાસૂસી કૌભાંડથી લઈને ખેડૂતોના મુદ્દે રાજ્યસભામાં ઘણો હંગામો થયો હતો. વિપક્ષી સાંસદો કે જેઓ ખેડૂતોને લગતા કૃષિ કાયદા પરત ફરવા પર અડગ હતા તેમણે નિયમ પુસ્તક ખુરશી તરફ ફેંક્યા હતા અને તેમના પર મહિલા માર્શલોને મારવાનો આરોપ હતો. સંસદમાં હંગામાને કારણે ચોમાસુ સત્ર અકાળે મુલતવી રાખવું પડ્યું હતું.