નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે અનુચ્છેદ 370, 35A અને પૂર્ણ રાજ્યના દરજ્જાની માટે કોઈપણ બલિદાન આપવા તૈયાર છીએ. નેશનલ કોન્ફરન્સની યુવા પાંખને સંબોધતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ખેડૂતોએ 11 મહિના સુધી પ્રદર્શન કર્યું, 700થી વધુ ખેડૂતો માર્યા ગયા. ખેડૂતોના બલિદાન બાદ કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચ્યા. અમારો અધિકાર પાછો મેળવવા માટે આપણે પણ આવુ જ બલિદાન આપવુ પડી શકે છે.
ખેડૂતોના લગભગ એક વર્ષના વિરોધ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરના રોજ પાકના વેચાણ, ભાવ નિર્ધારણ અને સંગ્રહ માટેન નિયમોને સરળ બનાવવા માટે ગયા વર્ષે પસાર કરાયેલા કૃષિ કાયદાને રદ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. સંસદના ચાલુ શિયાળુ સત્રના પહેલા દિવસે 29 નવેમ્બરે કૃષિ કાયદાને રદ કરવા માટેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, ’11 મહિનામાં 700થી વધુ ખેડૂતો માર્યા ગયા. જ્યારે ખેડૂતોએ બલિદાન આપ્યું ત્યારે કેન્દ્રને ત્રણ કૃષિ બિલો રદ કરવા પડ્યા. અમારો હક્ક પાછો મેળવવા માટે પણ કદાચ આવુ જ બલિદાન આપવુ પડશે. અબ્દુલ્લાએ કહ્યું, ‘ યાદ રાખો, અમે (કલમ) 370, 35-A અને રાજ્યનો દરજ્જો પાછો મેળવવાનું વચન આપ્યું છે અને અમે કોઈપણ બલિદાન આપવા તૈયાર છીએ.’
J&K | The farmers protested for 11 months, more than 700 farmers died. Centre had to revoke the 3 farm bills when farmers made sacrifices. We may also have to make sacrifices like that to get back our rights: National Conference president Farooq Abdullah in Srinagar pic.twitter.com/Wt0AH3JmFt
— ANI (@ANI) December 5, 2021
તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ જોકે ભાઈચારાની વિરુદ્ધ નથી અને હિંસાનું સમર્થન કરતી નથી. કેન્દ્રએ જમ્મુ અને કાશ્મીરના અગાઉના રાજ્યનો વિશેષ દરજ્જો રદ કર્યો અને 5 ઓગસ્ટ, 2019 ના રોજ તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યો.
તાજેતરમાં હૈદરપોરા એન્કાઉન્ટર અને ઓપરેશનમાં માર્યા ગયેલા બે નાગરિકોના પરિવારોએ વહીવટીતંત્રને તેમના મૃતદેહો પરત કરવા દબાણ કર્યું તે અંગે, અબ્દુલ્લાએ કહ્યું કે તે શક્ય બન્યું કારણ કે લોકોએ એકતા દર્શાવી. તેઓએ માંગ કરી હતી કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અન્ય વ્યક્તિ અમીર મેગ્રેનો મૃતદેહ પણ તેના સંબંધીઓને પરત કરવામાં આવે. નેશનલ કોન્ફરન્સના વડાએ કહ્યું, “ત્રણ નિર્દોષ લોકો માર્યા ગયા (હૈદરપોરા એન્કાઉન્ટરમાં). જ્યારે લોકોએ અવાજ ઉઠાવ્યો, ત્યારે તેઓએ (વહીવટ) મૃતદેહો પરત કર્યા જેથી તેમના પરિવારજનો તેમને દફનાવી શકે. આ એકતા દ્વારા જ થઈ શકે છે.
વધુમાં તેમણે કહ્યું, ‘પરંતુ એક વ્યક્તિનો મૃતદેહ હજુ પણ તેના પરિવારને પરત કરવામાં આવ્યો નથી. કેટલા નિર્દોષ લોકોને આ રીતે માર્યા હશે? અમે તેમને જવાબદાર ઠેરવીશું. તે (ઈશ્વર) તેમને પણ જવાબદાર ઠેરવશે અને કોઈ છટકી શકશે નહીં.
કલમ 370 નાબૂદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં પર્યટનમાં વધારા અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર, અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશની વાત આવે છે, “જેમ કે પ્રવાસન એ બધું છે”. તેણે કહ્યું, ‘તમે 50,000 નોકરીઓનું વચન આપ્યું હતું, તે ક્યાં છે? તેના બદલે તમે અમારા લોકોની નોકરીઓ ખતમ કરી રહ્યા છો.