Not Set/ યુપી અને આસામની જેમ દેશભરમાં પણ બે બાળકોની નીતિ લાગુ કરવામાં આવશે? સંસદમાં મોદી સરકારનો જવાબ

લોકસભામાં ભાજપના સાંસદ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે શુક્રવારે કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

Top Stories

આસામ અને ઉત્તર પ્રદેશ જેવા ભાજપ શાસિત રાજ્યોમાં વસ્તી નિયંત્રણ માટે બનાવાતા કાયદાની વચ્ચે, મોટો સવાલ એ છે કે શું કેન્દ્ર સરકાર આ પ્રકારની નીતિ દેશભરમાં લાગુ કરશે? મોદી સરકારે સંસદમાં જવાબ આપ્યો છે. લોકસભામાં ભાજપના સાંસદ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે શુક્રવારે કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

ભાજપના સાંસદ ઉદય પ્રતાપના પ્રશ્નના ‘ના’ જવાબ આપતાં મંત્રીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીયની સ્થિતિ જોતા  અમુક બાળકો માટે કોઈ જબરદસ્તી કે ફરમાન વિપરીત પરિણામ આવી શકે  છે. આનાથી વસ્તી વિષયક વિકૃતિઓ તરફ દોરી જાય છે, જેમાં પુત્રો, ગર્ભપાત, પુત્રીઓનો ત્યાગ અને સ્ત્રી ભ્રૂણ હત્યાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

હાલમાં જ મોદી સરકારમાં પ્રધાન બનાવવામાં આવેલા પવારના આ નિવેદનને મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે નવી વસ્તી નીતિ અંગે આસામ અને ઉત્તર પ્રદેશમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપ શાસિત બંને રાજ્યોમાં બેથી વધુ બાળકોના માતાપિતાને સરકારની અનેક યોજનાથી વંચિત રાખવાની તૈયારી કરી રહી છે. પવારે એમ પણ કહ્યું હતું કે કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ જેવા ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કડકાઈ વિના વસ્તીને અંકુશમાં રાખ્યા છે.

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બદલી સ્તરનો જન્મ દર 2.1 પ્રાપ્ત કર્યો છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવીયાએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે 2027 સુધીમાં ભારતની વસ્તી 146.9 કરોડ હોવાનો અંદાજ છે.