Jagannath Rath Yatra 2025:અષાઢી બીજનો રૂડો અવસર આવી પહોંચ્યો છે, અને આ સાથે જગતના નાથ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા સાથે અમદાવાદની ભવ્ય રથયાત્રામાં નગરચર્યા પર નીકળશે. આ વર્ષે, 148મી રથયાત્રા શ્રદ્ધાળુઓ માટે ભક્તિ, ઉત્સાહ અને આધ્યાત્મિક ઉર્જાનો અનોખો સંગમ લઈને આવી છે. ગુજરાતના આ પવિત્ર પર્વની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ સાથે થશે, જે ભગવાન જગન્નાથની આ ઐતિહાસિક યાત્રાને ઔપચારિક રીતે શરૂ કરશે.
મંતવ્ય ન્યૂઝનું મહાકવરેજ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા
ભગવાનના ત્રણેય રથ માણેકચોકથી રવાના થયા થોડી જ વારમાં ત્રણેય રથ નિજ મંદિર પરત ફરશે. જગન્નાથ મંદિરમાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું ભગવાનના આગમનની કાગડોળે જોવાઈ રહી છે રાહ
ભગવાન જગન્નાથના દર્શન કરવા મંદિર બહાર ભક્તોની ભીડી
ભગવાન જગન્નાથજીની ધ્વજ પતાકા મંદિર પહોંચ્યા, ભગવાનનું સ્વાગત કરવા મંદિરમાં ભક્તો ઉમટ્યા
ભગવાન જગન્નાથનો રથ શાહપુર દરવાજા પહોંચ્યો
ભક્તિ મય માહોલ વચ્ચે ત્રણેય રથ શાહપુરથી રવાના થયા થોડી જ વારમાં નિજ મંદિર પહોચશે ભગવાન જગન્નાથના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી
અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથાયાત્રા
ત્રણેય રથ તંબુ ચોકીથી આગળ નીકળ્યા અને ઘી કાંટાથી આગળ નીકળ્યા ગજરાજ
અમદાવાદ: શાહપુર દરવાજા ખાતે અખાડાની શરૂઆત
શાહપુર દરવાજા ખાતે અખાડાની થઇ શરૂઆત અખાડિયનોએ શાહપુર ખાતે બતાવ્યા કરતબ
અમદાવાદ: ભગવાનની રથયાત્રામાં અમી છાંટણા
દિલ્હી દરવાજામાં પણ થઇ વરસાદની શરૂઆત વરસાદ વરસતા ભક્તોમાં ખુશીનો માહોલ ભારે ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદ: ત્રણેય રથ પ્રેમ દરવાજા તરફ આગળ વધ્યા
જગન્નાથજી, સુભદ્રાજી અને બભદ્રજીન ત્રણે રથ આગળ વધ્યા ચોખા બજાર કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ રથ થયા રવાના. ભક્તોએ પણ જગતના નાથના ભાવથી કર્યા દર્શન

જગતના નાથની રથયાત્રામાં મેઘરાજાની પધરામણી
શાહપુર વિસ્તારમાં મેઘરાજાએ રથોનું સ્વાગત કર્યું મેઘરાજાએ અમી છાંટણાથી કરી વ્હાલાના વધામણા કર્યા છે વરસાદની શરૂઆત થતા ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો
ગાંધીનગર: CM ડેશબોર્ડ પરથી રથયાત્રાનું મોનિટરિંગ
અમદાવાદ શહેરમાં ભ્રમણ કરી રહી છે 148મી રથયાત્રા, CM નિવાસસ્થાનથી કરવામાં આવી રહ્યું છે રિયલ ટાઈમ મોનિટરીંગ, CM ભુપેન્દ્ર પટેલે વિડિયો વોલ પરથી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી રહ્યા છે. રાજ્યના DGP વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા છે મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ પણ હજાર રહ્યા.

અમદાવાદ: અખાડાનો કાફલો પહોંચ્યો દિલ્હી દરવાજા
અખાડાનો કાફલો દિલ્હી દરવાજા પહોંચ્યો થોડી જ વારમાં રથ પણ દિલ્હી દરવાજા પહોંચશે આતુરતાથી ભક્તો ભગવાનની રાહ ભગવાન જોઇ રહ્યા છે, જગન્નાથજીની એક ઝલક જોવા ભક્તો આતુર થઈ રહ્યાં છે
અમદાવાદ: ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા
યાત્રાની આગેવાની કરતા ગજરાજ શાહપુર દરવાજા પહોચ્યા, 18 માંથી 3 ગજરાજન તોફાને ચડતા રથયાત્રામાંથી બાકાત કરાયા હતા. બાકીના 15 જેટલા ગજરાજ યાત્રાની આગેવાની કરી રહ્યા છે .
અમદાવાદ: અખાડાનો કાફલો કાલુપુરથી આગળ વધ્યો
સરસપુરથી કાલુપુર થઈ આગળ વધ્યા અખાડા વિવિધ કરતબ કરતા અખાડાઓ વધી રહ્યા છે આગળ ભક્તો ભગવાન જગન્નાથના દર્શન માટે જોઈ રહ્યા છે રાહ
અમદાવાદ: વહેલી સવારે નીકળેલી રથયાત્રા પરત ફરી
સવારથી નીકળેલી રથયાત્રા દિલ્હી ચકલા ખાતે પહોંચી રથયાત્રાના આગેવાની કરતા ગજરાજ દિલ્હી ચકલા પહોંચ્યા, ગજરાજ પાછળ 101 ટેબ્લ-ટ્રક આગળ વધ્યા અને અખાડાના કરતબબજો, જગન્નાથજી, સુભદ્રાજી અને બલબદ્રના રથ પણ દિલ્હી ચકલા પહોંચશે. દિલ્હી ચકલા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, ભગવાન જગન્નાથની એક ઝલક જોવા લોકો અધિરા બન્યા.
અમદાવાદમાં રથયાત્રામાંથી 2 ગજરાજનું કર્યું રેસ્ક્યુ
રેસ્ક્યુ કરાયેલા ગજરાજને જગન્નાથ મંદિર લવાયા અને અન્ય એક ગજરાજ ગાંધી રોડ પર હોવાથી રોડ બ્લોક મહાવતે જણાવ્યું હતું. ટ્રસ્ટ સહિત ફાયર દ્વારા રેસ્ક્યુની કવાયત કરવામાં આવી ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ગજરાજના રેસ્ક્યુ માટે રેસ્ક્યુ સ્થળે પહોચ્યા હતા.

અમદાવાદમાં ગત રથયાત્રામાં 65 બાળકો ખોવાયા હતા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર આપી માહિતી, ગત રથયાત્રામાં 65 બાળકો તેમના પરિવારોથી અલગ થયા હતા. પોલીસ દ્વારા તમામ બાળકોને શોધી કઢાયા હતા. આ વર્ષે 3500 CCTV સાથે AIથી મોનીટરીંગ થઇ રહ્યું છે રથયાત્રામાં બાળકોની સુરક્ષા માટે ખાસ દેખરેખ રખાઇ રહી છે. યાત્રામાં જોડાયેલા તમામ ભક્તો પર પોલીસની નજર રાખવામાં આવી રહી છે. તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા અપાઇ રહી છે

પ્રેમ દરવાજા ભગવાનનું આગમન
ભગવાન જગન્નાથ સરસપુર મામાનાં ઘરેથી નીકળી પ્રેમ દરવાજા પહોંચી ગયા છે. થોડીવારમાં દિલ્હી ચકલા પહોંચશે. કાલુપુરથી પ્રેમ દરવાજા તરફ ગજરાજોનું પ્રયાણ થઈ રહ્યું છે. વિવિધ ટેબ્લો-ટ્રકોનો કાફલો પ્રેમ દરવાજા તરફ પહોંચ્યો છે. ભગવાનના મોસાળથી આગળ વધી રહી છે રથયાત્રા. કાલુપુર સર્કલથી દિલ્હી ચકલા તરફ રથ આગળ વધી રહ્યો છે.
રથનું મોસાળમાં આગમન
અમદાવાદમાં સરસપુર મોસાળમાં ભાણિયા આવ્યા છે. ભાણિયાને વધાવવા માટે ભક્તો આતુર થયા છે. દૂરથી રથ દેખાતા મોસાળ ભક્તિમય બન્યું છે. મોસાળમાં ભાણેજને મામેરું અર્પણ કરવામાં આવશે. સરસપુરવાસીઓ ત્રણેય ભાઈ-બહેનને લાડ લડાવશે. આનંદ ઉમંગ ભર્યો જય કનૈયા લાલ કી…ના નાદ ગુંજ્યા છે. ભગવાનના વધામણા કરવા મામાના ઘરે ભારે ભીડ ભેગી થઈ છે. વ્હાલા ભાણેજોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે. અમદાવાદમાં રથનું મોસાળમાં આગમન થતા અમીછાંટણા થયા છે. મેઘરાજાએ અમીછાંટણા કરી રથના વધામણા કર્યા છે. પહેલો રથ સરસપુર આંબેડકર હોલના સર્કલ સુધી પહોંચ્યો છે. અમદાવાદ ભગવાનના રથ સરસપુર તરફ રવાના થઈ ગયા છે. બંને રથ કાલુપુરથી સરસપુર તરફ થયા રવાના થયા છે, ભગવાનના બલભદ્રનો રથ પાછળ રહ્યો છે. કાલુપુર સર્કલથી જગન્નાથજી અને સુભદ્રાજીનો રથ રવાના થયો છે.
નગરચર્યામાં જગન્નાથની યાત્રા નીકળી, પોલીસ સ્ટેશનમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું.
સરસપુરમાં કરાયું ભંડારાનું આયોજન
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ સંદર્ભમાં, જગન્નાથના નિવાસસ્થાન સરસપુરમાં ભાવિ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં મહાકાળી ધામના લોકો છેલ્લા ૨૫ વર્ષથી રથયાત્રાના દિવસે નિઃસ્વાર્થપણે હજારો લોકોને ભોજન કરાવતા આવ્યા છે. મળતી માહિતી મુજબ, આજે ૧૫૦૦૦ થી વધુ લોકો પ્રસાદ લેશે.
સરદારનગર, ઘોઘા સર્કલ વિસ્તારમાં વરસાદ, રૂપાણી સર્કલ, આતાભાઈ ચોકમાં વરસાદ, મુશળધાર વરસાદમાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર હાથી પહોંચ્યો
પ્રેમ દરવાજાથી કાલુપુર અને કાલુપુર બજાર જતો રસ્તો બંધ, ટ્રકો પાંચકુવા પહોંચી, એક એમ્બ્યુલન્સ ડાયવર્ટ કરવામાં આવી.
રથયાત્રામાં ગજરાજ કાલુપુર સર્કલ પર પહોંચ્યો
ઝાંકી અને ગજરાજ કાલુપુર પહોંચ્યા, રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે.
ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબૂ થતા, રથયાત્રા માંથી બાકાત કરવામાં આવ્યા અને હાલ રથયાત્રા રાબેતા મુજબ યથાવત…@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
#AhmedabadRathyatra2025 #AhmedabadPolice pic.twitter.com/lyEmDQNsT5— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) June 27, 2025

સરસપુરમાં યજમાન પરિવાર પણ અમદાવાદમાં 148 મી રથયાત્રા માટે ભગવાનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.10 વર્ષની રાહ જોયા પછી, ત્રિવેદી પરિવારને મામેરા સમારોહ કરવાની તક મળી. દરમિયાન, સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરા સમારોહની શરૂઆત થઈ છે.
એએમસીમાં મહંત દિલીપ દાસજીનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, મેયર અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
ખાડિયામાં ગજરાજ અને ઝાંખી પહોંચી, ભગવાનના દર્શન માટે વિવિધ સ્થળોએ ભીડ ઉમટી, ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું
જય રણછોડ, માખણચોર, વિવિધ ઝાંખીઓના પડઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા
ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા
ભાવનગરમાં ગુજરાતની બીજી સૌથી મોટી રથયાત્રા, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી, સુભાષ નગરથી રથયાત્રા શરૂ થઈ, ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી.

અમદાવાદના સરસપુર મોસાલ સ્થિત મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય પૂજા કરવામાં આવી રહી છે. તે સમયે મામેરાનો યાજમ ત્રિવેદી પરિવાર સરસપુર પહોંચ્યો છે, જ્યાં તેમણે સરસપુરમાં ભગવાન પશુરામની પૂજા કરી છે. ભગવાન જગન્નાથ માટે ખાસ ફૂલોની ડિઝાઇન સાથેનો એક સુંદર વાઘા તૈયાર કરવામાં આવ્યો છે અને ભગવાનને સોના-ચાંદીના આભૂષણો પણ અર્પણ કરવામાં આવ્યા છે. દર્શન માટે મંદિરની સામે ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી.



રથયાત્રામાં અને બ્રહ્મોસ મિસાઇલ થીમવાળા ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા
રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઇલ થીમવાળા ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ભજન મંડળીઓએ ભાગ લીધો છે.
જમાલપુરની રાહબર સ્કૂલ પાસે ગજરાજ અને ટ્રક પહોંચ્યા. આ સાથે, રથયાત્રા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એકઠા થયા છે.
સરસપુરમાં, રથ જ્યાં ઉભો છે ત્યાં રસ્તા પર પાણી છાંટીને તેને ઠંડુ કરવામાં આવે છે
ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન, રથ જ્યાં ઉભો છે ત્યાં રસ્તા પર પાણી છાંટીને તેને ઠંડુ કરવાની પરંપરા છે. આ કાર્ય મોટાભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાનને ઠંડક મળે છે અને બાળકો આખું વર્ષ સ્વસ્થ રહે છે.
LIVE: અમદાવાદમાં 148મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાને પ્રસ્થાન. https://t.co/U1fjzJamIh
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 27, 2025

લોકસંસ્કૃતિ જળવાય છે.
શ્રી જગન્નાથ રથયાત્રા સનાતન સંસ્કૃતિનો પવિત્ર ઉત્સવ છે, જેને દેશના દરેક ખૂણે ભક્તો દ્વારા ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ગુજરાત પણ મહાપ્રભુના આ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે. મહાપ્રભુ જગન્નાથજીને દરેકના સુખી અને સ્વસ્થ જીવન, સમૃદ્ધિ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરું છું. pic.twitter.com/ocmPMFy3hu
— Amit Shah (@AmitShah) June 27, 2025

Ahmedabad, Gujarat: Union Home Minister Amit Shah attend the Mangala Aarti and darshan at Ahmedabad’s Jagannath Temple during the 148th Rath Yatra pic.twitter.com/NNjLinpIb2
— IANS (@ians_india) June 26, 2025



અષાઢી બીજના આ પવિત્ર દિવસે, અમદાવાદની ગલીઓ “જય જગન્નાથ”ના જયઘોષથી ગૂંજી ઉઠશે. લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના દર્શન માટે ઉમટી પડશે. ભક્તોમાં ખાસ કરીને યુવાનો અને વૃદ્ધો બંને આ ભવ્ય શોભાયાત્રાનો ભાગ બનવા આતુર છે. રથયાત્રાનો રૂટ શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થશે, જે ભક્તોને ભગવાનના આશીર્વાદ લેવાની તક આપશે.
આ પણ વાંચો:જગન્નાથ યાત્રામાં રથ નિર્માણનું રહસ્ય શું છે? ચાલો વિગતવાર જાણીએ
આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો
