ગીર-સોમનાથ,
23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે મતદાન યોજાવાનું છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પ્રચારના ભાગરૂપે અમિત શાહ ગીર-સોમનાથના કોડિનારમાં સભા સંબોધવાના છે. જે બાદ શાહ બનાસકાંઠાના ડીસા પહોંચવાના છે જ્યાં પણ તેઓ ભાજપનો જોરદાર પ્રચાર કરશે. પોતાની સભા દરમિયાન અમિત શાહ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરશે તેની પૂરેપુરી શક્યતા છે.