ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાથી કહેર મચી ગયો છે. અત્યાર સુધી 31 લોકોનું મોત થઇ ચુક્યા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. કુદરતી આપત્તિ આ સમયમાં રાજનીતિ પણ તીવ્ર થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી ઈજાગ્રસ્ત માટે દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરની જાહેરાત પણ કરી છે. પરંતુ તેઓ આ માત્ર ગુજરાત માટે જ કર્યું. હવે આ પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પીએમ પર પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે તમે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં વડાપ્રધાન છો.
પીએમ મોદી કર્યું ટ્વિટ…
જણાવીએ કે બુધવારે સવારે જેવું જ કુદરતી આપત્તિના સમાચાર આવ્યા તો દરેકને ચિંતા થઇ એન થોડા જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવ્યું, તેઓ તેમના ટ્વિટર હેન્ડલ @narendramodiથી નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ લખ્યું કે ગુજરાતનાં ઘણા ભાગોમાં વાવાઝોડા એન વરસાદના કારણ ઘણું નુકસાન થયું. બધાના પરિવાર સાથે મારી સંવેદના છે.
Anguished by the loss of lives due to unseasonal rains and storms in various parts of Gujarat. My thoughts are with the bereaved families.
Authorities are monitoring the situation very closely. All possible assistance is being given to those affected.
— Narendra Modi (@narendramodi) April 17, 2019
વડાપ્રધાનના ટ્વિટ ઉપરાંત વડાપ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ @ pmoindia થી વળતરની જાહેરાત કરવામાં આવી. અહીંથી ટ્વિટ કરવામાં આવ્યું કે ગુજરાતમાં જે લોકોનાં વાવાઝોડાને કારણે મૃત્યુ થયા છે, તે બધાના પરિવારને બે લાખનું વળતર અને જે લોકો ઘાયલ થયા છે તેમને 50 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.
PM @narendramodi approved an ex- gratia of Rs. 2 lakh each from the Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to unseasonal rain and storms in various parts of Gujarat.
— PMO India (@PMOIndia) April 17, 2019
પીએમના ટ્વિટ પર કમલનાથની પ્રતિક્રિયા…
વડા પ્રધાનના આ ટ્વિટમાં માત્ર ગુજરાતનો જ ઉલ્લેખ કરવામાં આવતા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ગુસ્સે થઇ ગયા. તેમણે તરત જ ટ્વિટ કરી કે નરેન્દ્ર મોદી, તમે માત્ર ગુજરાત નહીં સમગ્ર દેશના વડાપ્રધાન છો.
કમલ નાથે લખ્યું કે એમપીમાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અવકાશી વીજળી પડવાથી 10 થી વધુ લોકોના મોત થયા છે, પરંતુ તમારી સંવેદનાઓ ફક્ત ગુજરાત સુધી મર્યાદિત છે. ભલે અહીંયા તમારી પાર્ટીની સરકાર નથી પણ લોકો અહીં પણ રહે છે.
मोदी जी , आप देश के पीएम ना कि गुजरात के।
एमपी में भी बेमौसम बारिश व तूफ़ान के कारण आकाशीय बिजली गिरने से 10 से अधिक लोगों की मौत हुई है।लेकिन आपकी संवेदनाएँ सिर्फ़ गुजरात तक सीमित ?
भले यहाँ आपकी पार्टी की सरकार नहीं है लेकिन लोग यहाँ भी बस्ते है।— Kamal Nath (@OfficeOfKNath) April 17, 2019
