ભારતની એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) દ્વારા 6 વર્ષનાં સમયગાળા માટે કંપનીનાં ચેરમેન અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે આર. માધવનને નિયુક્ત કરવામાં આવ્યા હતા. એચએએલ લખનૌમાં એસેસરીઝ વિભાગમાં કારોબારી સંચાલક તરીકે નેતૃત્વ કરતા 56 વર્ષીય આર માધવન પહેલા એચએએલ ના ચેરમેન ટી. સુવર્ણ રાજુ હતા.
એચએએલમાં ચેરમેન પદે ભવિષ્યમાં પગલાં લેવાની બાબતે તેમને જણાવ્યું હતું કે,
એચએએલ નો પ્રથમ ક્રમાંક જાળવી રાખતા દુનિયાને ઉચ્ચતમ કક્ષાનું ઉત્પાદન અને સુવિધાઓથી સ્વદેશીકરણ વધારવું એ એચએએલ ના ચેરમેન પદે મારુ મુખ્ય લક્ષ્ય હશે.”
https://twitter.com/ani_digital/status/1035863182512861187
આપણે જણાવી દઈએ કે માધવન એક મિકેનિકલ એન્જિનિયર છે અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી તેમણે રાયપુરમાંથી પોતાની આ ડિગ્રી મેળવી છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસમાંથી એમ.ટેક ની ડિગ્રી પણ મેળવેલ છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, તેમનું મુખ્ય ઉદ્દેશ્ય એચએએલ કંપનીને એરોનોટિક્સ ઇન્ડસ્ટ્રીમાં ઉપર લઇ જવાનું બિલકુલ નથી, પરંતુ
ભવિષ્યમાં એચએએલની સફળતા માટે તમામ હિસ્સેદારોને ભાગીદારી, સહભાગ અને સહાયતા પુરવાર પાડવીએ એચએએલ ના ચેરમેન પદે મારુ મુખ્ય ઉદ્દેશ્ય છે.
ઉલ્લેખનીય છે કે 1982 માં તેઓ એચએએલમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાયા હતા.