મધ્યપ્રદેશની કમલનાથ સરકારે નવી યોજના શરૂ કરી છે. જે અંતર્ગત રાજ્યભરમાં એક જ દુકાનમાં ચિકન અને દૂધનું વેચાણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ભોપાલમાં એક દુકાન ખોલવામાં આવી છે. આ અંગે રાજ્યના પશુપાલન પ્રધાન લક્ષ્મણસિંહે કહ્યું, ‘લોકોને સારી ગુણવત્તાના ઇંડા અને દૂધ મળશે. ચિકન પાર્લરમાં કડકનાથ મુર્ગા પણ મળશે.
ભાજપે કમલનાથ સરકારના આ નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ભોપાલના ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું હતું કે ‘ગાયનું દૂધ, ચિકન અને ઇંડાની સાથે વેચવામાં આવી રહ્યું છે, તેથી અમે તેના પર વાંધો ઉઠાવીએ છીએ. આનાથી લોકોની ધાર્મિક ભાવનાઓને નુકસાન થશે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર તેના પર વિચાર કરે. દૂધ અને ચિકન આઉટલેટ્સ એક બીજાથી થોડે દૂર ખોલવા જોઈએ. ‘
BJP MLA Rameshwar Sharma: We are objecting since cow milk is being sold alongside chicken and eggs. This is hurting religious sentiment of people. We request the govt to look into it. Milk outlets & chicken outlets should be opened at some distance from each other. https://t.co/ufgKkfOHe4 pic.twitter.com/rnkCupxAZh
— ANI (@ANI) September 14, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
