મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે હજી ઝગડો છે. શિવસેના હજી પણ 50-50 ના ફોર્મ્યુલા પર અડગ છે. તે જ સમયે, બુધવારે મુંબઇમાં મળેલી બેઠક દરમિયાન ભાજપે દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. શિવસેના-ભાજપની સરકાર બનાવવા માટેના આ જ ખેંચાણ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા પ્રફુલ પટેલનું નિવેદન આવ્યું છે. તેમણે મીડિયાને કહ્યું કે તેમને વિપક્ષમાં બેસવાનો આદેશ મળ્યો છે. જો પરિસ્થિતિ બદલાય તો આપણે નિશ્ચિતપણે કઈક વિચારીશું.
હકીકતમાં મહારાષ્ટ્રમાં સીએમ પદ માટે શિવસેના-ભાજપ વચ્ચે ચૂંટણીના પરિણામ પછી જ ઝઘડો થયો છે. જ્યાં શિવસેનાનું કહેવું છે કે લોકસભાની ચૂંટણી સમયે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને અમિત શાહ વચ્ચે 50-50 ના ફોર્મ્યુલા પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીત મુજબ મહારાષ્ટ્રમાં શિવસેના અઢી વર્ષ મુખ્યમંત્રી પદ ઇચ્છે છે. ભાજપ શિવસેનાની આ વાત સાથે સહમત નથી. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસે તો એમ પણ કહ્યું કે બીજી વખત તેઓ મુખ્યમંત્રી બનશે.
એનસીપી નેતા પ્રફુલ પટેલનું આ નિવેદન મુખ્યમંત્રી પદને લઈને બંને પક્ષો વચ્ચે થયેલી ઝઘડાને લઈને આવ્યું છે. શિવસેના-ભાજપ બંને એ સંયુક્ત રીતે મહારષ્ટ્ર માં વિધાનસભાની ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને 105 બેઠકો મળી હતી અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. મહાગઠબંધન હેઠળ, ભાજપ-શિવસેના પાસે સરકાર બનાવવા માટે સંપૂર્ણ બહુમતી છે. પરંતુ શિવસેનાને અઢી વર્ષ મુખ્યમંત્રી પદની માંગ કરી છે. જે ભાજપ ને મંજુર નથી. જેને લઇ ને સરકારની રચનામાં ભાજપને અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એનસીપી અને કોંગ્રેસના બંને પક્ષો સયુંકત રીતે ચૂંટણી લડ્યા હતા. અને એનસીપીને 54 બેઠકો મળી, જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી. છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.