Gandhinagar News : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બોર્ડના કુલ 171 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીમાં વૈજ્ઞાનિક અધિકારીઓ, પર્યાવરણ ઈજનેરો સહિતના વિવિધ હોદ્દાના અધિકારીઓનો સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિક અધિકારીઓ: વર્ગ-2ના 60 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
નાયબ પર્યાવરણ ઈજનેરો: વર્ગ-2ના 34 નાયબ પર્યાવરણ ઈજનેરોની બદલી કરવામાં આવી છે.
સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ: વર્ગ-1ના 10 સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
c52b6749-3c91-4d14-a58b-597f51857df4.pdf
મદદનીશ પર્યાવરણ ઈજનેરો: વર્ગ-2ના 67 મદદનીશ પર્યાવરણ ઈજનેરોની બદલી કરવામાં આવી છે.
આ બદલીના કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, આવા ફેરફારો સામાન્ય રીતે કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવતા હોય છે. આ બદલીથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર કેવી અસર પડશે તે જોવું રહ્યું. જોકે, નવા અધિકારીઓના ફેરબદલથી બોર્ડમાં નવી ઉર્જા આવી શકે છે અને પ્રદૂષણ નિયંત્રણના કામમાં વધુ સુધારો થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદના પોલીસ કમિશનરનો સપાટો : 19 વહાવટદારોની “કે કંપનીમાં”બદલી
આ પણ વાંચો: રાજ્યના HTAT મુખ્ય શિક્ષકો માટે આવ્યા સારા સમાચાર, ઓફલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન
આ પણ વાંચો: સચિવાલમાં બદલીનો દોર: 14 SOની બદલી, 3 અધિકારીને DySOમાંથી પ્રમોશન
