Manipur News : મણીપુર શાંતિના માર્ગે પાછુ ફરી રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા ઘણા મહિનાઓથી સંઘર્ષનો સામનો કરી રહેલા મણિપુરના પાંચ જિલ્લાઓમાં રવિવારે લોકોએ 42 હથિયારો અને કારતૂસ જમા કરાવ્યા છે. તે પહેલા પણ લોકોએ શસ્ત્રો ભેગા કર્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે ઇમ્ફાલ પશ્ચિમ અને પૂર્વ, ચુરાચંદપુર, બિષ્ણુપુર અને તામેંગલોંગ જિલ્લામાં હથિયારો જમા કરવામાં આવ્યા હતા.
બિષ્ણુપુર જિલ્લામાં બે પિસ્તોલ, છ ગ્રેનેડ અને 75 થી વધુ કારતૂસ સહિત પાંચ હથિયારો જમા કરવામાં આવ્યા હતા. તામેંગલોંગ જિલ્લાના કૈમાઈ પોલીસ સ્ટેશનમાં ૧૭ દેશી બનાવટની બંદૂકો, નવ ‘પોમ્પી’ (સ્થાનિક રીતે બનાવટના મોર્ટાર) અને કારતુસ જમા કરાવવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, યૈનગંગપોકપી, પોરોમપટ, ચુરાચંદપુર અને લમસંગ પોલીસ સ્ટેશનમાં લગભગ 10 હથિયારો અને કારતૂસ જમા કરાવવામાં આવ્યા હતા.
શનિવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સાઈરેમખુલમાં સર્ચ ઓપરેશન દરમિયાન એક INSAS LMG, 20 રાઉન્ડ દારૂગોળો ભરેલા એક મેગેઝિન, એક AK-56 રાઇફલ, ત્રણ SLR રાઇફલ, એક SMG 9mm કાર્બાઇન, એક .303 રાઇફલ, એક DBBL બંદૂક, ડેટોનેટર વિનાના ચાર ગ્રેનેડ, એક ચાઇનીઝ હેન્ડ ગ્રેનેડ અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી.
સુરક્ષા દળોએ કાંગપોક્પી જિલ્લાના થિંગસેટ હિલમાં માર્ક હિલ ખાતે બે ગેરકાયદેસર બંકરો પણ તોડી પાડ્યા. શનિવારે કાંગપોકપી અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓના નજીકના વિસ્તારમાં વાકન હિલ પર ત્રણ અન્ય ગેરકાયદેસર બંકરો તોડી પાડવામાં આવ્યા હતા.રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા પછી, રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ 20 ફેબ્રુઆરીએ લડતા જૂથોને સુરક્ષા દળો પાસેથી લૂંટાયેલા શસ્ત્રો અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા અન્ય હથિયારો સાત દિવસની અંદર સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
સાત દિવસના સમયગાળા દરમિયાન, મુખ્યત્વે ખીણના જિલ્લાઓમાં, જનતા દ્વારા 300 થી વધુ હથિયારો સમર્પણ કરવામાં આવ્યા. પાછળથી, પહાડી અને ખીણ બંને વિસ્તારોના લોકોએ વધારાનો સમય માંગ્યા બાદ તેમણે લૂંટાયેલા અને ગેરકાયદેસર શસ્ત્રો જમા કરાવવાની અંતિમ તારીખ 6 માર્ચે સાંજે 4 વાગ્યા સુધી લંબાવી.
મે 2023 થી મેઇતેઈ અને કુકી-જો જૂથો વચ્ચે થયેલી વંશીય હિંસામાં 250 થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
૧૩ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. આ સાથે રાજ્ય વિધાનસભાને સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો:PM મોદી આજે મન કી બાતના 119મા એપિસોડને સંબોધશે, જાણો અપડેટ
આ પણ વાંચો:મહાકુંભના સમાપન બાદ PM મોદીએ માફી કેમ માંગી, “તો હું માફી માંગુ છું કે…..”
આ પણ વાંચો:PM મોદીનો જાણો આજનો કાર્યક્રમ
