ઉત્તર પ્રદેશમાં એક મંદિરનાં ખોદકામ દરમિયાન ભગવાનનો ચમત્કાર જોવા મળ્યો હતો. મંદિરનાં ખોદકામ દરમિયાન કરોડો રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. આટલું સોનું જોઇને ગામલોકોનાં હોશ ઉડી ગયા હતા. ગામના લોકો તેને ભગવાન તરફથી નવરાત્રીની ભેટ કહી રહ્યા છે. ગ્રામજનો કહે છે કે તે માતા દેવીનો ચમત્કાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશના બિજનોરના કાજીપુરા ગામમાં ગામલોકો એક મંદિર ખોદી રહ્યા હતા. આ દરમિયાન 4 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા. જેને કારણે વિસ્તારમાં હંગામો થયો હતો. ખોદકામમાં સોનાનો હાર અને સોનાની બંગડીઓ મળી આવી છે. બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા જણાવાઈ રહી છે.
લોકોને આ સમાચારની જાણ થતાંની સાથે જ આ ચમત્કાર જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. બાતમી મળતાની સાથે જ પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દાગીના કબજે કર્યા હતા. અધિકારીઓએ કહ્યું કે દાગીના એકદમ પ્રાચીન લાગે છે.
ગામલોકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો ખેતરમાંથી ખોદકામ કરી રહ્યા હતા. પછી માટીનો ગઠ્ઠો નીચે પડી ગયો. તેમાંથી સોનાના આભૂષણ નીકળ્યા તો ગામમાં હલચલ મચી ગઈ. જોકે આ પછી ગામલોકોએ ત્યાં પણ ખોદકામની કામગીરી હાથ ધરી હતી, પરંતુ તે પછી તેઓને બીજું કશું મળ્યું નહીં.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.