Prophet Mohamamd Row/ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યું ટ્વિટ ‘સંવિધાનની શપથ લેનાર PM મોદી ચુપ્પી તોડીને રાજધર્મ નિભાવે,નુપુર શર્માની ધરપકડની કરી માંગ’

ભાજપના સસ્પેન્ડ પ્રવકતા નુપુર શર્માએ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરૂદ્વ વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે.

Top Stories Gujarat
8 20 ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કર્યું ટ્વિટ 'સંવિધાનની શપથ લેનાર PM મોદી ચુપ્પી તોડીને રાજધર્મ નિભાવે,નુપુર શર્માની ધરપકડની કરી માંગ'

ભાજપના સસ્પેન્ડ પ્રવકતા નુપુર શર્માએ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરૂદ્વ વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. આ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગયો છે. આ વિવાદિત નિવેદનના લીધે સમગ્ર દેશમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે,દેશભરમાંથી નુપુર શર્માની ધરપકડની માંગ ઉઠવા પામી છે,આ મામલે  અમદાવાદ દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ ટ્વિટ કરીને ભાજપના સસ્પેન્ડ પ્રવકતા સામે કાનૂની કાર્યવાહી કરીને તેમની ધરપકડની માંગ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે સંવિધાનની શપથ લેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુપ્પી તોડીને રાજધર્મ નિભાવે,ટીવી ડિબેટ દરમિયાન ઇસ્લામના પયગંબર વિરૂદ્વ અભદ્ર  PM ટિપ્પણીએ અપરાધિક કૃત્ય છે તેને સાંખી લેવાય નહીં,નુપુર શર્માની સત્વરે ધરપકડની કાર્યવાહી કરે. પ્રધાનમંત્રી સાથે દિલ્હીના ઉપરાજ્યપાલને પણ નુપુર શર્મા મામલે કાનૂની કાર્યવાહી કરવા કરી છે માંગ

 

ઉલ્લેખનીય છે એક ટીવી ડિબેટમાં ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્માએ પયગંબર વિરૂદ્વ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું  જેના લીધે દેશ સહિત વિદેશમાં તેમના નિવેદનની નિંદા થઇ રહી છે અને તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી છે, આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર વકરતા મોદી સરકારે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.