ભાજપના સસ્પેન્ડ પ્રવકતા નુપુર શર્માએ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરૂદ્વ વિવાદાસ્પદ નિવેદન આપતા સમગ્ર દેશમાં હોબાળો મચ્યો છે. આ વિવાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગયો છે. આ વિવાદિત નિવેદનના લીધે સમગ્ર દેશમાં હિંસક પ્રદર્શન થઇ રહ્યા છે,દેશભરમાંથી નુપુર શર્માની ધરપકડની માંગ ઉઠવા પામી છે,આ મામલે અમદાવાદ દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ ટ્વિટ કરીને ભાજપના સસ્પેન્ડ પ્રવકતા સામે કાનૂની કાર્યવાહી કરીને તેમની ધરપકડની માંગ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું કે સંવિધાનની શપથ લેનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુપ્પી તોડીને રાજધર્મ નિભાવે,ટીવી ડિબેટ દરમિયાન ઇસ્લામના પયગંબર વિરૂદ્વ અભદ્ર PM ટિપ્પણીએ અપરાધિક કૃત્ય છે તેને સાંખી લેવાય નહીં,નુપુર શર્માની સત્વરે ધરપકડની કાર્યવાહી કરે. પ્રધાનમંત્રી સાથે દિલ્હીના ઉપરાજ્યપાલને પણ નુપુર શર્મા મામલે કાનૂની કાર્યવાહી કરવા કરી છે માંગ
संविधान कि शपथ लेनेवाले प्रधानमंत्रीजी को चुप्पी तोड़ कर राजधर्म निभाना चाहीये।
डिबेट के दौरान BJPप्रवक्ता द्वारा पैगंबर मोहम्मद ﷺ पर अभद्र टिप्पणी करना आपराधिक कृत्य है।की गई टिप्पणी हरगिज़ बर्दाश्त नहीं की जाएगी।नुपुर को फौरन गिरफ्तार कर सख्त कार्यवाही करें।#ArrestNupurSharma— Gyasuddin Shaikh MLA (@Gyasuddin_INC) May 28, 2022
ઉલ્લેખનીય છે એક ટીવી ડિબેટમાં ભાજપના પૂર્વ પ્રવકતા નુપુર શર્માએ પયગંબર વિરૂદ્વ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે દેશ સહિત વિદેશમાં તેમના નિવેદનની નિંદા થઇ રહી છે અને તેમની ધરપકડ કરવાની માંગ ઉઠી રહી છે, આ વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તર પર વકરતા મોદી સરકારે નુપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા.